Author Archives: kaajal Oza Vaidya

આજ દિલ ખોલ કે રોયે હૈં તો યું ખુશ હૈં, ‘ફરાઝ’

ज़िन्दगी से यही गिला है मुझे, तू बहुत देर से मिला है मुझेहमसफ़र चाहिये हुजूम नहीं, इक मुसाफ़िर भी काफ़िला है मुझे અહેમદ ફરાઝની આ ગઝલ સંબંધોને સાવ જુદી રીતે જુએ છે. જિંદગીને ફરિયાદ કરે છે, પરંતુ એકવ્યક્તિના મોડેથી મળવા વિશેની ફરિયાદને એ ખૂબ રેશમી રીતે રજૂ કરે છે. આપણી પાસે ઘણું બધું હોયઅને છતાં […]

મહાગુજરાતઃ સંઘર્ષ અને શહીદીની કથા

1લી મે, ગુજરાતનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાતને છૂટા પડ્યાને છ દાયકા કરતાવધુ સમય થઈ ગયો. નવી પેઢી, જે ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં જન્મી એને આ રાજ્યો વિશે, એમનાછૂટા પડવા વિશે કે એમના ઈતિહાસ વિશે ભાગ્યે જ કોઈ માહિતી છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતઅને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં પણ આ વિશે કોઈ ખાસ વિગતો મળતી […]

દિલ ના-ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગ઼મ કી શામ, મગર શામ હી તો હૈ

આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અનેબીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ… આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલા અપમૃત્યુ…સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણઆપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને […]

જંગલમાં કામ કરવા માટે જંગલી દેખાવું જરૂરી નથી

મેં મારી થિસીસ સબમીટ કરી ત્યારે એને અપ્રુવ થતા અઢી વર્ષ લાગ્યા. દરેક વખતે મને વાઈવા માટે જુદીવ્યક્તિ પાસે જવાનું કહેવામાં આવતું. હું જેવી ઓરડામાં દાખલ થતી કે વાઈવા લેનાર પ્રોફેસર એમના ધોળા વાળ,ચશ્મા અને ઝીણી આંખો સાથે કપાળ પર કરચલી પાડીને કહેતા, ‘તમે ? તમે પ્રાણી જીવન પર કે વન્ય જીવન પરરિસર્ચ કરવા માગો […]

સારાઈનું સર્ટિફિકેટ જોઈએ છે ? નહીં મળે !

તમે કોઈવાર સાવ માણસાઈમાં, ભલા થઈને કે લાગણીમાં તણાઈને કોઈની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે ? જેનીસાથે લેવા-દેવા પણ ન હોય એવી કોઈ વ્યક્તિ-જેની સાથે વર્ષમાં બે વાર પણ વાત કરવાનો સમય ના હોય એવી કોઈવ્યક્તિ-કે પછી જેણે તમારું નુકસાન કર્યું હોય, તમે જાણતા હો તેમ છતાં તમે એ વ્યક્તિની મદદ કરવા માટે હાથ લંબાવ્યોછે […]

કીધર કો ભાગ રહી હૈ ઈસે ખબર હીં નહીં, હમારી નસ્લ બલા કી જહીન કુછ તો હૈ

ગયા અઠવાડિયે અખબારોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું… એક દોઢ વર્ષનીદીકરીને ગળે ટૂંપો દઈને એનું ખૂન કર્યા પછી માએ આત્મહત્યા કરી ! આમ તો આ સમાચારમાં કશું નવું નથી. છેલ્લા કેટલાંયસમયથી આપણે આવા સમાચારો વાંચતાં જ રહીએ છીએ. આ પહેલાં પણ બે ભાઈઓએ પોતાના આખા પરિવારોને મોતનામોઢામાં ધકેલી પોતે પણ આત્મહત્યા કરી […]

કમિટમેન્ટ એટલે ગુલામી નહીં, ગમતી વ્યક્તિનો સાથ…

મુનિર નિયાઝીની ખૂબ જાણીતી ગઝલ, દેર કર દેતા હું મેં… જ્યારે જ્યાં પઢવામાં આવે ત્યારે લગભગ દરેક માણસને પોતાના હાથમાંથી સમય સરકી રહેલો દેખાય છે. જે દિશામાં જવા માટે નીકળ્યા હતા, એ દિશા ક્યારે ફંટાઈ-સાથે નીકળેલા બે જણા પોતપોતાના રસ્તે ક્યારે ચડી ગયા અને બંનેની મંઝિલ ક્યારે બદલાઈ ગઈ એનો ખ્યાલ જ નથી રહેતો ! […]

હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈનેઅમર કરી દીધી.‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી.દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી,હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’ ખલ્ક એટલે લોકો – જગત… ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)ની આ પંક્તિઓ […]

બધું ખતમ કરવાનો કોઈને અધિકાર નથી

થોડા દિવસ પહેલાં નડિયાદના હાઈવે ઉપર વૃક્ષોથી આચ્છાદિત સરસ મજાનો હાઈવે, આજે કેવો બાંડો અને બોડોથઈ ગયો છે એની તસવીર પ્રકાશિત થઈ હતી. રસ્તા પહોળા કરવા માટે અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. આનીપહેલાં પણ અમદાવાદમાં રસ્તા મોટા કરવા માટે રેલવે ટ્રેકની નજીક આવેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. ગ્લોબલવોર્મિંગ માટે આ વૃક્ષોના નિકંદનને જવાબદાર […]

નીમ હકીમ, ખતરે જાન…

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કહેરમાં સતત વધારો નોંધાય છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અંશતઃલોકડાઉન, ‘બ્રેક ધ ચેઈન’ની શરૂઆત થઈ છે. આ પરિસ્થિતિ વહેલી-મોડી ગુજરાત સુધી આવશે એવા ભયમાં બધા ફફડી રહ્યાછે. હોસ્પિટલની સામે ઊભેલી 20-25 એમ્બ્યુલન્સની લાઈન કે ખુટવા માંડેલા બેડ્સ, સુરતમાં પીગળી રહેલી સ્મશાનનીચીમની કે કબ્રસ્તાનમાં જગ્યા ખુટવાને કારણે અગ્નિદાહની છૂટ આપી રહેલા […]