પહેલી માર્ચ, 1994… ગીરગાંવની બિલ્ડીંગમાંથી પડી જવાને કારણે મનમોહન દેસાઈનુંમૃત્યુ થયું. પેરામાઉન્ટ સ્ટુડિયોઝના નિર્માતા કિકુભાઈ દેસાઈ અને કલાવતીબહેનનો દીકરો, સુભાષદેસાઈનો ભાઈ અને નીતિન મનમોહનના પિતા… પહેલી માર્ચની સાંજે એ પડી ગયા કે એમણે જાતેકૂદીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે. 26 ફેબ્રુઆરીએ એમનોજન્મદિવસ, અને પહેલી માર્ચ એમની મૃત્યુ તિથિ. 1994માં એ […]
Category Archives: janmabhoomi phulchhab
અસરાર-ઉલ-હક મજાઝના આ શબ્દો એક સંબંધને બહુ ખૂબસુરત રીતે આપણી સામે ખોલી આપેછે. આપણે બધા પોતપોતાના વિશ્વનું એક વર્તુળ ધરાવીએ છીએ. આપણને ગમતાં, જેની સાથે આપણનેફાવતું હોય, વિચારો મળતાં હોય અને આપણા ગાંડપણ-ડહાપણનો હિસ્સો બની શકે એવા લોકોને આપણેમિત્રો અથવા સ્વજન કહીએ છીએ. આ સ્વજન અથવા મિત્રોથી બનતી આપણી એક આગવી દુનિયા હોયછે. આપણે જેને […]
‘જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં…’ શૈલી શૈલેન્દ્ર (ગીતકાર શૈલેન્દ્રના પુત્ર) એલખેલા ગીતને 1970માં બનેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રજૂ કરવામાં આવ્યું હતું. સંબંધોના ત્રણતબક્કામાંથી પસાર થયેલા એક ‘જોકર’ના જીવનને રજૂ કરતું આ ગીત એની શિક્ષિકા (સિમિગરેવાલ), એની પ્રેમિકા (પદ્મિની) અને રશિયન પ્રેમિકા (કેસનિયા રિયાબિન્કિયા)ની સાથે એમનાજીવનના પ્રવાસની કથા પણ એમણે વણી લીધી […]
હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ અને થોડા વખત પહેલાં આવેલી ‘કબીર સિંઘ’ જેવીફિલ્મોએ આપણી સામે એક એવા હીરોની છબી ઊભી કરી જે ‘સિનેમાના હીરો’ની ઈમેજ કરતાંસાવ જુદી હતી. પ્રેક્ષકોએ આ બંને ફિલ્મોને ખૂબ આવકારી… એક રીતે જોઈએ તો નવાઈ લાગે તેમછતાં, જય વસાવડાએ પોતાના લેખમાં જેને ‘દેશી’ કહીને વખાણી તેવી છબી આપણને ગમવા લાગીછે […]
કોરોનાના આંકડા ડરાવી નાખે એ રીતે વધી રહ્યા છે. વાઈબ્રન્ટ સમીટ કેન્સલ થઈ અને લગ્નસમારંભો પણ સરકારે ઘટાડેલી મહેમાનોની સંખ્યાના કારણે કેન્સલ થઈ રહ્યા છે તેમ છતાં, પાંચરાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે… બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર પોતાનું જોર બતાવી રહીછે. એ બંનેની વચ્ચે અર્થતંત્રને પડેલો માર અને શેરબજારની અનિશ્ચિતતા, વિશ્વભરમાંથી આવનારાફંડિંગ વિશે પણ […]
ભારતીય સંવિધાન 72 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ 26મી જાન્યુઆરીએ ભારતનું પોતાનું બંધારણ રચાયાના 72 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એવા કેટલાક નહીં જાણીતા આઝાદીના લડવૈયાઓના જીવન ઉપર એક શો જામનગરના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છે દિગ્દર્શિત કર્યો હતો. કલકત્તાની ગુજરાત ક્લબ દ્વારા નિર્મિત […]
દર અઠવાડિયે અખબારોમાં એકાદ ભારતીય દીકરી વિધર્મી યુવકની જાળમાં ફસાયાનાસમાચાર વાંચવા મળે છે. સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં પણ આવા સમાચારો ખૂબ વાયરલથાય છે. આવા છોકરાઓને શોધીને એમના ઉપર દબાણ વધારવાનો પ્રયાસ સરકાર કરતી રહે છે. એમાટેના કાયદા પણ ઘડવામાં આવ્યા છે તેમ છતાં, આવા કિસ્સા ઘટતા નથી એ આશ્ચર્યની વાત છે.વક્તવ્ય માટે બોલાવતી સંસ્થાઓ પણ […]
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં વસતા તાહિર ફરાઝ એક કોમળ હૃદયના ગઝલકાર છે. પાલતું જીવો,પ્લાન્ટ્સ અને માણસો સાથે એમની સંવેદનાઓ આસાનીથી જોડાય છે. એમની કવિતાઓ (ગઝલો)સામાન્ય રીતે સંબંધો અને લાગણીઓને ખૂબ ઋજુતાથી અભિવ્યક્ત કરે છે. હરિહરનના અવાજમાંગવાયેલી અને સ્વરબદ્ધ થયેલી એમની ગઝલ, ‘કાશ, ઐસા કોઈ મંઝર હોતા, મેરે કાંધે પે તેરા સરહોતા…’ ખૂબ લોકપ્રિય થઈ છે. એમાંનો […]
પ્રિય નમન,આજે આપણાં લગ્નને બરાબર એક વર્ષ પૂરું થયું. આ પત્ર તને લખું છું ત્યારે વીતેલું એક વર્ષ મારી નજર સામે આવીને ઊભું રહી જાય છે. હુંતને પહેલી વાર મળી ત્યારે મનોમન નક્કી કરીને આવી હતી – દાદી અને મમ્મીનો આગ્રહ છે એટલેતને મળવું, પણ એવું ભયાનક વર્તવું કે તું જ મને લગ્નની ના પાડી […]
હવે પાકિસ્તાનમાં અમૃતસર જિલ્લાનું કોટલા સુલ્તાન સિંઘ ગામ… એ ગામમાં રોજ એકફકીર આવતો. એ ફકીર રસ્તા પરથી ગાતો ગાતો પસાર થાય ત્યારે એક નાનકડો છોકરો એની પાછળદોડતો. એ છોકરો આબેહૂબ ફકીરના ગીતની નકલ કરી શકતો. એક દિવસ એ છોકરો ગાતો હતો ત્યારેએ ફકીરે સાંભળ્યું. છોકરા પાસે એક ગીત ફકીરે ગવડાવ્યું. છોકરાએ ગાયું અને ફકીરે આશીર્વાદઆપ્યા, […]