Author Archives: kaajal Oza Vaidya

ભાગઃ 2 | સારાભાઈ પરિવાર : એક અવિસ્મરણીય ઇતિહાસ

નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ સારાભાઈ પરિવાર એ સમયે પણ અમદાવાદમાં એમના સ્વતંત્ર વિચારો અને ભિન્નજીવનશૈલી માટે જાણીતો હતો. આજે પણ અમે સાતેય ભાઈ-બહેનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાંપોતપોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે, અમને સૌને અમારાવિચાર અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાની પૂરેપૂરી તક અને સ્વતંત્રતા આપવામાં આવી. […]

દિલ્હીમાં ગાંધીજીઃ મનુબહેનની ડાયરીના કેટલાક અંશ

આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષનામોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસબહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલકાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અનેઆંખો મીંચાઈ ગઈ. એમની સાથે […]

‘જ્યાં છો ત્યાં મહેકતા રહો’

આજથી 76 વર્ષ પહેલાં ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી… એમની રાજકીય કારકિર્દી કેસ્વતંત્રતાનો ઈતિહાસ તો સૌ જાણે છે. આપણા દેશને આઝાદી અપાવનાર મહાત્મા, રાષ્ટ્રપિતા એકપિતા હતા, એક સ્વસુર પણ હતા. એક લાગણીભીના પતિ અને સ્નેહાળ વ્યક્તિ હતા… જેટલીસહજતાથી એ દેશની બાબતમાં નિર્ણયો લેતા એટલી જ સરળતાથી એ માંદા પડેલા સાથીઓની ચાકરીકરી શકતા. બાની સાથે રમૂજ […]

જૈન ધર્મની 16 સતીઓ

વિશ્વના દરેક ધર્મમાં પૂજનીય સ્ત્રીઓ હોય છે. એ સ્ત્રીઓનાં ચારિત્ર્ય અને ચરિત્રથી ધર્મવધુ નિખરે છે, શોભે છે અને આ સ્ત્રીઓ આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ સ્વરૂપ પૂરવાર થાયછે. વિશ્વનો દરેક ધર્મ એવું શીખવે છે કે, સ્ત્રી ઈતિહાસની વાહક છે. એક પછી એક પેઢી સ્ત્રીનાંશરીરમાં જન્મ લે છે. અર્થ એ થાય કે, જે મા પોતાના સંતાનને […]

પ્રકરણ – 42 | આઈનામાં જનમટીપ

નાર્વેકરે માથું ઊંચક્યું ત્યારે દિલબાગની લોહીલુહાણ લાશ પડી હતી. બાજુમાં એનો કોન્સ્ટેબલ પણ ડચકાંખાઈ રહ્યો હતો. ઝૂકી ગયેલા ઓફિસોમાં ભરાઈ ગયેલા, આંખો મીંચીને ઊભા રહી ગયેલા કે જમીન પર સૂઈ ગયેલાલોકો જીવતા માણસો નહીં, પણ જાણે ચિત્રોમાં દોરેલા હોય એવા સ્તબ્ધ અને સ્થિર ઊભા હતા. સૌના ચહેરા પરઆઘાતનો એવો ભયાનક ભાવ હતો જેમાંથી બહાર નીકળતા […]

ભાગઃ 1 | મારા પિતા સમયથી ઘણું આગળ વિચારતા અને જીવતા વ્યક્તિ હતા

નામઃ મૃદુલા સારાભાઈસ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમયઃ 1974ઉંમરઃ 62 વર્ષ આજે, દિલ્હીના મારા ઘરમાં નજરકેદ થઈને લગભગ એકલવાયું કહી શકાય એવું જીવનવિતાવું છું. થાકી નથી, હારી નથી, કંટાળી પણ નથી. સાચું કહું તો આ ઘર અને આ પરિસ્થિતિ મેંજાતે પસંદ કરેલાં છે. આ ઘર અને પરિસ્થિતિ જ શું કામ, જીવનના પ્રત્યેક તબક્કે હું મારી જાતે પસંદકરેલા […]

મનની અયોધ્યામાં રામ પુનઃ પધારે તો…

અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દોરહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોનેરસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજનહોતા. […]

બાળ ઠાકરે અને સુભાષચંદ્ર બોઝઃ એક જન્મતારીખ, એક વિચાર

38/2 એલ્ગિન રોડ, કલકત્તા પર એક નાનકડું મકાન છે, કદાચ આજે પણ છે! એ જગ્યા એટલેસુભાષચંદ્ર બોઝે જ્યાંથી બહાર નીકળીને બર્લિન જઈ સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની રચના કરી એમકાન. વિદેશ પ્રવાસ દરમિયાન એમણે ઈટાલીમાં મુસોલિની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતનીનોંધાયેલી પ્રશ્નોત્તરી આ પ્રમાણે છે.મુસોલિનીઃ શું ભારત નજદીકના ભવિષ્યમાં સ્વાધીન થશે એવો પાકો વિશ્વાસ છે […]

બારબાર રોના ઔર ગાના યહાં પડતા હૈ; હીરો સે હીરો સે જોકર બન જાના પડતા હૈ…

34 વર્ષનો એક છોકરો અસંખ્ય સપનાં અને ઝળહળતી કારકિર્દી બનાવવાની ઝંખના લઈને14મી જૂન, 2020ના દિવસે મૃતઅવસ્થામાં મળી આવ્યો. પટનામાં કૃષ્ણકુમાર સિંહ અને ઉષાસિંહના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો આ છોકરો આઈઆઈટીનો ગ્રેજ્યુએટ હતો. રાષ્ટ્રીયઓલેમ્પિયાડનો વિજેતા હતો. 2008માં ટેલિવિઝનથી શરૂ થયેલી એની કારકિર્દી 2020માં પૂરી થઈગઈ. એ દરમિયાન એણે 4 ટેલિવિઝન શો અને 12 ફિલ્મો આપી… મૃત્યુનું […]

પ્રકરણ – 41 | આઈનામાં જનમટીપ

સૂરિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને બહાર નીકળ્યો ત્યારે થોડી વીકનેસ સિવાય બીજો કોઈ પ્રશ્ન નહોતો. એના ઘાવ ઉપર ડ્રેસિંગ કરેલું હતું. એના કપડાં એટલા બધા લોહીવાળા હતા કે, એને હોસ્પિટલનો ડ્રેસ પહેરીને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી. હોસ્પિટલના પાછળ દોરી બાંધેલા શર્ટ અને લેંઘામાં એ વિચિત્ર લાગતો હતો. બહાર નીકળીને સૌથી પહેલાં એણે એક નજીકની લોકલ […]