છેલ્લા કેટલાક સમયથી મોટિવેશન અને સેલ્ફ હેલ્પના અનેક કાર્યક્રમો યોજાય છે. શાળા તેજસ્વીતારલાઓનું સન્માન હોય કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, ભાગવત કથા હોય કે લગ્ન પ્રસંગની ઉજવણી હોય કે,માતા-પિતાની 40-50મી એનિવર્સરી હોય કે માતા અથવા પિતાનો જન્મ દિવસ… ઘણાં લોકો ઇચ્છે છે કે એમનેત્યાં આવનારા મહેમાનોને મનોરંજન, ખાણી-પીણી સાથે વિચારનું કોઈ ભાથું મળે! એક સારો વિચાર, […]
Category Archives: Madhurima
રાજસ્થાનમાં આવેલા એક અતિ વિખ્યાત મંદિરની બહાર દર્શન માટેની કતારમાં ઊભેલાભાવકોમાંથી એક બહેન ધક્કા મારીને આગળ આવવાનો પ્રયાસ કરતા હતા, એમણે એ બાબતે ઝઘડો કરીનાખ્યો! હજી દ્વાર ખૂલ્યાં નહોતાં. સૌ કતારમાં પ્રતીક્ષા કરી રહ્યા હતા, અંદર જવાના જ હતા, તેમછતાં એમને કોણ જાણે કંઈ વાતની ઉતાવળ હતી! બીજી તરફ, એક ભાઈ પોતે કેટલું દાન કરે […]
જ્યારથી મોબાઈલ અને સ્માર્ટ ફોન બજારમાં આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર સતતપ્રવૃત્તિ ચાલતી રહી છે. લગભગ દરેક માણસને એવી ઈચ્છા છે કે, એ બજારમાં નીકળે ત્યારે લોકો એનોચહેરો ઓળખી જાય! દરેક પાસે પોતાના અભિપ્રાય છે અને એ અભિપ્રાય કે પોઈન્ટ ઓફ વ્યૂને ‘લોકોસુધી પહોંચાડવા’ લગભગ દરેક માણસ તત્પર છે ત્યારે બીજી તરફ એવી ફરિયાદ […]
‘આમ તો અમે સાથે જ જન્મ્યા છીએ અને હું માનું છું ત્યાં સુધી અમે સાથે જ મરીશું, પરંતુ એકશક્યતા છે કે, સઆદત હસન મરી જાય અને મન્ટો ન મરે. સાચું પૂછો તો મને આ વિચાર બહુ ડરાવે છેકારણ કે, ‘સઆદત’ સાથે દોસ્તી નિભાવવામાં ‘મન્ટો’એ કોઈ કસર નથી છોડી. અગર સઆદત મરી ગયોઅને મન્ટો જીવતો રહ્યો […]
ચાર દિવસ પછી ઉત્તરાયણ છે. ઉત્તરાયણ, સૂર્યની ઉત્તર તરફ ગતિ શરૂ થશે. પવનની દિશાબદલાશે. ઋતુફળ અને ગ્રહોના ફળ બદલાશે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિ ઉજવાઈનહોતી એટલે આ વર્ષે જેમ ઝનૂનમાં નવરાત્રિ ઉજવાઈ એવી જ રીતે ઉત્તરાયણ માટે પણ લોકો અતિશયઉત્સાહમાં છે. અમદાવાદમાં લગભગ દરેક ટેરેસ, ધાબા કે છત ઉપર બોર, તલની ચિક્કી, ઊંધિયા અનેપોકની […]
લગ્નોની સિઝન પૂરજોશમાં ચાલી રહી હતી, 14 જાન્યુઆરી પછી ફરી એકવાર ધૂમધડાકા સાથેઢગલાબંધ લગ્નો થવાના છે. એક સર્વે મુજબ આ વર્ષે ગુજરાતમાં બે હજાર લગ્નો થઈ રહ્યાં છે ત્યારે, આલગ્નોમાં થનારા ભયાનક ખર્ચાનો હિસાબ લગાવીએ તો સમજાય કે, આ બધા ખર્ચામાંથી ભારતનાકેટલાય ભૂખ્યા પરિવારો સુધી ભોજન અને અશિક્ષિત રહી ગયેલા કેટલાય બાળકો સુધી શિક્ષણપહોંચાડી શકાય! […]
કોવિડ પછી દુનિયા એકદમ બદલાઈ ગઈ હોય એવું લાગે છે. મોટાભાગના લોકો અચાનકફિલોસોફી તરફ વળી ગયા છે. 50ની ઉંમર વટાવી ગયેલા લોકો એકદમ જ સ્વાસ્થ્ય વિશે સજાગ થયા છે,બીજી તરફ પૈસા બચાવવાના કે ભવિષ્ય માટેના પ્લાનિંગ વિશે વિચારવાનું મોટાભાગના લોકોએ લગભગછોડી દીધું છે. જેમણે નોંધ્યું હશે એમને અનુભવ હશે કે અચાનક પ્રવાસ કરનારા લોકોની સંખ્યા […]
બારમા ધોરણની એક છોકરીએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી. પોતાની સ્યુસાઈડ નોટમાંએણે લખ્યું છે કે, સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને પોતે ભણી શકે એમ નથી, પિતાના સ્વપ્નોને પૂરા કરીશકે એમ નથી… આવી સ્યુસાઈડ નોટ વાંચીએકે આવો કોઈ કિસ્સો સાંભળીએ ત્યારે સવાલ એ થાય છેકે, દુનિયામાં ધીરેધીરે સંતાનને ‘સંપત્તિ’ સમજનારા માતા-પિતાની સંખ્યા કેમ વધતી જાય છે? સંતાનપાસે […]
1992ની છઠ્ઠી ડિસેમ્બર આરએસએસ અને એના સમર્થકોએ દોઢ લાખ જેટલા વીએચપી અનેબીજેપીના કાર્યકર્તાઓ સાથે અયોધ્યામાં એક રેલીનું આયોજન કર્યું હતું. એ રેલીમાં એલ.કે. અડવાણી,મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવી વ્યક્તિઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. બપોર સુધીમાંબાબરી મસ્જિદના ડિસ્પ્યુટેડ માળખા ઉપર એક યુવાન ચઢી ગયો. એણે ભગવો ઝંડો લહેરાવ્યો અને આઝંડો ત્યાં ભેગાં થયેલાં ટોળાં […]
જાણીતા હિન્દી કવિ જયશંકર પ્રસાદના પુસ્તક ‘કામાયની’માં ‘મનુ’ એનું મુખ્ય પાત્ર છે…દેવસૃષ્ટિના સંહાર પછી ચિંતામાં મગ્ન મનુ મહાભારતમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વૈવસ્વતમનુ છે. ‘શ્રદ્ધા’ની પ્રેરણાથી એ જીવનમાં રસ લેતા થાય છે, પરંતુ શ્રદ્ધાથી અસંતુષ્ટ થઈને એ એને મૂકીનેચાલી જાય છે. સારસ્વત પ્રદેશ પહોંચે છે ત્યાં એ ‘ઈડા’ ને મળે છે. એક નવી […]