આહ ક્યા દિલ મેં અબ લહૂ ભી નહીં, આજ અશ્કોં કા રંગ ફીકા હૈજબ ભી આંખેં મિલીં ઉન આંખોં સે, દિલ ને દિલ કા મિજાજ પૂછા હૈ,કૌન ઉઠ કર ચલા મુકાબિલ સે, જિસ તરફ દેખિએ અંધેરા હૈફિર મિરી આંખ હો ગઈ નમનાક, ફિર કિસી ને મિજાજ પૂછા હૈ. અસરારુલ હક, એક જાણીતા શાયર છે. શરૂઆતમાં […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
પ્રોતિમા બેદી, એક એવું નામ જે આજે પણ વિવાદાસ્પદ વર્તુળોમાં ચર્ચાતું રહ્યું છે… એમનીઆત્મકથા ‘ટાઈમ પાસ’ જે એમની દીકરી પૂજા દેવી ઈબ્રાહીમ દ્વારા સંકલિત કરવામાં આવી છે. એનાકેટલાંક અંશ અહીં રજૂ કર્યા છે. 12 ઓક્ટોબર પ્રોતિમા બેદીનો જન્મદિવસ છે… ફક્ત 49 વર્ષની ઉંમરેહિમાલયના પિથોરાગઢના માલપા ગામે લેન્ડ્સ્લાઈડ થવાથી એમનું મૃત્યુ થયું. એક સ્ત્રી પોતાનાજીવનનો તદ્દન […]
ગુજરાતની નવરાત્રિ આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. જે ગુજરાતી ન હોય એને માટે પણનવરાત્રિનો તહેવાર હવે ‘ચણિયા ચોળી’, અને ટ્રેડિશનલ વસ્ત્રો સાથે નૃત્ય કરવાનો ઉત્સવ છે.દેશ-વિદેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણા કલાકારો નવરાત્રિ ઉજવતા રહ્યા છે, પરંતુ ગયા વર્ષેકોરોનાને કારણે નવરાત્રિ સાવ કોરી ગઈ એટલું જ નહીં, આપણા કલાકારો અને ટ્રેડિશનલ વસ્ત્રોબનાવનાર અનેક લોકોની રોજી પર બહુ […]
2018માં રજૂ થયેલી ફિલ્મ ‘પદમાવતી’ને જ્યારે ‘પદમાવત’ તરીકે રજૂ કરવામાં આવી ત્યારેધાર્મિક લાગણી દુભાઈ છે એવી દલીલ કરીને થિયેટર પર તોડફોડ કરવામાં આવી. હવે, એવો જ સવાલ‘રાવણલીલા’ વિશે ઊભો થયો. ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ રાખવાની પ્રોડ્યુસર-દિગ્દર્શકને ફરજપડી. પ્રતીક ગાંધીએ ફિલ્મમાં બોલેલા ડાયલોગની વિરુધ્ધ અનેક લોકોએ કેસ કર્યા. એની સામે જીસસની સાથે જોડાયેલી ફિલ્મ ‘ધ લાસ્ટ […]
કેટલાય મહિનાઓના સંઘર્ષ પછી જિંદગી ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે. મોલ, થિયેટર્સ અને બેન્કવેટ હોલ ખૂલી રહ્યા છે ત્યારે સિનેમા જોવાનો એક્સપિરિયન્સ લગભગ અઢાર મહિના પછી ફરી પાછો તાજો થઈ રહ્યો છે. અંધારા થિયેટરમાં હોરર ફિલ્મ જોતા હાથમાં પોપકોર્ન અટકી જાય, ઈમોનલ સીન જોતા આંખોમાં પાણી આવે અને હસી હસીને બાજુવાળા પર ઢળી પડવાની […]
‘યા તો તિરંગા લહેરા કે આઉંગા, યા તિરંગે મેં લિપટ કે આઉંગા…’ ગયા અઠવાડિયે રજૂ થયેલી ભારતીય લશ્કરસાથે જોડાયેલી બે કથાઓ પર આધારિત ફિલ્મોમાં બંને હીરો આ ડાયલોગ બોલે છે. ‘ભૂજ’ અને ‘શેરશાહ’ નામની આ બેફિલ્મોમાં ભારતીય લશ્કરની બે ગૌરવવંતી કથાઓ આપણી સામે રજૂ કરવામાં આવી છે. ફિલ્મો કેવી છે એ વિશે ચર્ચાકરવાને બદલે એક […]
‘કાયદેસરના લગ્નમાં જો પતિ પત્ની સાથે એની ઈચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધે છે તો એને બળાત્કાર ન કહેવાય…‘ છત્તીસગઢ હાઈકોર્ટના આ વિવાદાસ્પદ ચૂકાદા પછી દેશભરની પરિણિત મહિલાઓ માટે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે. લગ્ન થયા હોય એથી પુરૂષને શારીરિક સંબંધ બાંધવાની છૂટ બાય ડિફોલ્ટ મળી જાય છે ? સ્ત્રીની ઈચ્છા કે અનિચ્છાનું મહત્વ સ્વયં […]
બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં સામાન્ય રીતે, મનભેદ, મનઃદુખ કે સમસ્યા ઊભી થયા વગર રહેતી નથી. ભાગ્યે જકોઈ બે મિત્રો, યુગલ, માતા-પિતા અને સંતાન વચ્ચે મનદુઃખ નહીં થયું હોય! આપણે બધા જુદા જુદા અભિપ્રાય ધરાવીએછીએ. જુદી માનસિકતા અને જુદી માન્યતા આપણને એકબીજા સાથે દલીલ કરવા, ઝઘડવા કે ક્યારેક નારાજ થવા સુધીલઈ જાય છે. આપણે જોઈ રહ્યા […]
જ્યારથી કોરોના બજારમાં આવ્યો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓર્ગેનિક, ઈમ્યુનિટી, એક્સરસાઈઝ,હેલ્થ, કંટ્રોલ, હિલીંગ જેવા શબ્દો વારંવાર વપરાય છે. જે લોકો તદ્દન બેદરકાર અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવ જ આળસુ હતાએવા લોકોએ પણ વજન ઉતારવાનું શરૂ કર્યું છે, પ્રાણાયમ, વૉક અને એક્સરસાઈઝ ઉપર ફોકસ કરવા માંડ્યું છે. આજકાલપ્રાણાયામનો બહુ પ્રચાર થવા લાગ્યો છે. ગયા […]
બિહારના એક ગામમાં સાત જણાંએ મળીને 19 વર્ષની એક છોકરીનો બળાત્કાર કર્યો. એ પછી છોકરીની લાશનેગામના ચોરે લટકાવી દેવામાં આવી. લાશ ઉપર પાટિયું મારવામાં આવ્યું, ‘આ ગામમાં જે વધુ પડતી બહાદુરી બતાવવાનોપ્રયાસ કરશે એની આ જ સ્થિતિ થશે.’ છોકરીના માતા-પિતા ત્રણ દિવસ ચોરે બેસીને રડતા રહ્યા. પોલીસને બોલાવવાનોપ્રયાસ નિષ્ફળ ગયો. અંતે બળાત્કારીઓની માફી માગીને એ […]