એક દીકરીના લગ્ન પછી વિદાય થઈ રહી હતી, એની માએ એને પૂછ્યું,‘મહારાજાની પત્નીને શું કહેવાય?’ આંખોમાં આંસુ સાથે દીકરીએ જવાબ આપ્યો,‘મહારાણી…’ માએ દીકરીને માથે હાથ ફેરવીને પૂછ્યું, ‘અને નોકરની પત્નીને?’દીકરીને સહેજ નવાઈ લાગી, કે અત્યારે વિદાયના સમયે મા આ શું પૂછી રહી છે!પરંતુ, એણે જવાબ આપ્યો, ‘નોકરાણી…’ માએ બંને હાથ દીકરીના બંને ગાલ પરહાથ મૂકી […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પોતાની દીકરીનું નામ ‘દુઆ’ પાડ્યું. દીપિકાએ કહ્યુંકે, ‘આ અમારી પ્રાર્થનાનું ફળ છે.’ એકમેક સાથે સુખી અને આનંદિત દેખાતું આ યુગલ જીવનમાંઅનેક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યું છે. દીપિકા પદુકોણે પોતાના ઈન્ટરવ્યૂમાં પોતાનાડિપ્રેશન અને સમસ્યાનો સ્વીકાર કર્યો ત્યારે એણે કહ્યું હતું કે, ‘દુનિયાના અનેક લોકો જાણે-અજાણે માનસિક તકલીફોમાંથી પસાર થાય છે છતાં […]
અત્યાર સુધી જેમને ‘વિકલાંગ’ કહેવાતા હતા એમને પ્રધાનમંત્રીએ નવું નામઆપ્યું, ‘દિવ્યાંગ.’ આમ જોવા જઈએ તો આ બાળકો સાચે જ દિવ્યાંગ છે. એમકહેવામાં આવે છે કે, માનવ શરીર તરીકે જેનો અંતિમ જન્મ હોય, એને ફરી જન્મ નમળવા માટે અને એની ચોર્યાસી લાખ યોનિની યાત્રા જ્યારે પૂરી થવાની હોય ત્યારેએના આગલા-પાછલા તમામ કર્મોનો હિસાબ ઝીરો-ઝીરો કરવા માટે […]
મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, એમનું સંતાન એ એમની ઘડપણની લાકડી છે,એમના ભવિષ્યનો આધાર, સમાજમાં એમની પ્રતિષ્ઠા અને લોકોની સામે પ્રદર્શન કરવાની કોઈટેલેન્ટ અથવા કોઈ એવી બાબત છે, જેમાં નિર્બંધ સ્નેહ સિવાય બાકીનું બધું જ છે! માતા-પિતાઅને સંતાન વચ્ચેનો સૌથી પહેલો સંબંધ ફક્ત ‘સ્નેહ’નો હોવો જોઈએ. વધુ માર્ક લાવતું, હોંશિયાર,ટેલેન્ટેડ કે ચતુર બાળક, થોડું […]
છેલ્લા કેટલાય સમયથી વરસાદે માઝા મૂકી હતી. આખા દેશમાં પૂરનો પ્રકોપ ફરી વળ્યો. બિહારથીવડોદરા સુધી બધે જ ખૂબ બધું પાણી વરસ્યું, પરંતુ ઉનાળો આવશે ત્યાં સુધી ફરી એકવાર પીવાના પાણીનીસમસ્યા ઊભી થશે. જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી,ક્યારેક ફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ […]
અમદાવાદ અને વડોદરા વચ્ચેના પંચોતેર માઈલની બરાબર અધવચ્ચે આબંને શહેરોને જોડતી નકશારેખા પર નડિયાદ શહેર વસેલું છે. આડીઅવળીગલીકૂંચીઓ અને પચ્ચીસ હજારની વસતી ધરાવતા આ શહેરમાં વલ્લભભાઈપટેલનો જન્મ થયો હતો, પણ તેની નક્કી તારીખ આપણે જાણતા નથી. સન1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે તેમણે પોતે પાછળથી કબૂલ કરેલું છે તેમ,‘મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ […]
‘માણસની ઓળખ એના મિત્રથી નહીં, એના શત્રુથી થાય છે કારણ કે,મિત્ર આપણી હેસિયતથી મોટો કે નાનો હોઈ શકે, પરંતુ શત્રુ આપણીહેસિયતથી મોટો જો રાખવો. શત્રુ આપણને ઉશ્કેરે છે, વધુ મજબૂત અનેશક્તિશાળી બનવાનું કારણ આપે છે. શત્રુ આપણી ભીતર રહેલા સ્વમાનનાઅગ્નિને જગાડે છે. શત્રુ આપણને કપરા સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણાઆપે છે…’ દેહ ત્યાગ કરી રહેલા રાવણ […]
17 ઓક્ટોબર સ્મિતા પાટીલનો જન્મદિવસઃ આજે હોત તો 69 વર્ષનાં હોત!એમણે લખ્યું છે, ‘પ્રેગનન્સીના છેલ્લા દિવસોમાં મને વિચિત્ર સપનાં આવતાં. મારીતાઈ, અનિતા મારી બાજુમાં સૂતી. હું અચાનક બેઠી થઈ જતી, હાંફવા લાગતી…પરસેવે રેબઝેબ થઈ જતી. મારી બહેન ડૉક્ટર હતી, એટલે એ કહ્યા કરે, ‘આવું થાય,આને પ્રેગનન્સી બ્લ્યૂઝ કહેવાય.’ એક દિવસ વહેલી સવારે હું બહાર જોઈ […]
આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ યુનિવર્સિટી અનેઈન્સ્ટાગ્રામ, ફેસબુક માનસિક ત્રાસ ફેલાવવાનું જ કામ કરે છે. અત્યાર સુધી ગામનાચોરા પર બેસીને લોકો જે કરતાં હતા એ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં થાય છે.બીજાની પંચાતને હવે પોસ્ટ અને નિંદા અને અપમાનને હવે ટ્રોલિંગ કહેવાય છે! આજ સોશિયલ મીડિયાએ કેટલાય ખોવાયેલા મિત્રોને ભેગાં કર્યા છે, તો કેટલાય […]
માણસ માત્ર ‘સુખી’ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સુખની, સગવડની અનેસંતોષની સૌની પોતપોતાની વ્યાખ્યાઓ છે, અને દરેક પોતાની વ્યાખ્યામાં રહીને પોતાનાસુખને શોધે છે. એવી જ રીતે, ‘દુઃખ’ની પણ સૌની આગવી વ્યાખ્યા છે. મોટાભાગના લોકોનેજોઈએ ત્યારે સમજાય કે, એમની પાસે જે છે એમાં એ સુખી નથી! પત્ની હોય કે પતિ, પોઝિશનહોય, પૈસા હોય કે પ્રવૃત્તિ, […]