Category Archives: Madhurima

બિન્દાસ અને બોલ્ડ કે સાદી અને સમર્પિત?

થોડા વખત પહેલાં ઝિનત અમાન અને નિતુ સિંઘ એક જાણીતા ચેટ શોમાં સાથેઉપસ્થિત રહ્યા. બંને જણાંએ પોતાના સમયના સિનેમા અને એની સાથે જોડાયેલાં અનુભવોનીવાત કરી. નિતુ સિંઘે કહ્યું, ‘હું કંઈ સમજી શકું એ પહેલાં તો મારા લગ્ન થઈ ગયેલાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંહીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી અને જે પહેલો બોયફ્રેન્ડ મળ્યો એ જ મારો પતિ બન્યો… […]

હાઉ મચ ઈઝ સફિશિયન્ટ? હાઉ મેની ઈઝ ઈનફ?

વિખ્યાત ગ્રીક ફિલોસોફર ડાયોજિનસનો નિયમ હતો કે, પાણી પીવા અને ભોજન લેવા માટે વાપરીશકાય એટલું જ પાત્ર પોતાની પાસે રાખવું. એક દિવસ એમણે એક ભરવાડને હાથનો ખોબો વાળીને પાણીપીતાં જોયો, એ પછી બ્રેડને હાથમાં લઈને ખાઈ રહેલા એ ભરવાડને જોઈને એમણે નક્કી કર્યું કે,એમણે આ પાત્ર પણ સાથે ન રાખવું જોઈએ! આમ જોવા જઈએ તો […]

અરૂણા આસફ અલીઃ યાદ છે કોઈને?

9મી ઓગસ્ટ, 1942. ગ્રાન્ટ રોડ સ્ટેશનથી થોડે દૂર આવેલા ગોવાલિયા ટેન્કનામેદાનમાં એક ત્રીસેક વર્ષની યુવતિએ ધ્વજવંદન કર્યું. એ સમય ‘હિન્દ છોડો આંદોલન’ના મહત્વનાદિવસો હતા. 1942 પહેલાં 1930, 32 અને 1941માં અરૂણા નામની એ છોકરીએ જેલમાંસજા ભોગવી હતી. 16 જુલાઈ, 1909ના રોજ આજના પંજાબમાં કાલકા નામના એક સ્થળેબંગાળી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા […]

ચાર્વાકઃ એક ઓછી પ્રચલિત, પણ રસપ્રદ ફિલોસોફી

‘હું ધર્મને જીવનની કળા કહું છું. ધર્મ કોઈ પૂજાપાઠ નથી. ધર્મને મંદિર કે મસ્જિદ સાથેકંઈ લેવાદેવા નથી. જીવનમાં હજાર પાંખડીઓવાળું કમળ ખીલે. તમારી ભીતર એવી સુંદરભાવભંગિમાંઓ જાગે. મીરાંનું નૃત્ય અને ચૈતન્યના ભજન પ્રગટ થાય એવા કલાત્મક ઢંગથીપ્રસાદપૂર્ણ રીતે જીવવું એ જ ધર્મ છે.’ આ ઓશોના શબ્દો છે. એ જ્યારે જીવંત હતા ત્યારે અનેએ પછી પણ […]

મો કો કહાં ઢૂંઢે રે બંદે મૈં તો તેરે પાસ મેં, ખોજિ હોએ તુરત મિલ જાઉં એક પલ કી તલાશ મેં

થોડા સમય પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. મંદિરમાં ચોરી કરનાર એક માણસનેલકવો થયો એણે ચોરી કરેલા પૈસાની સાથે એક પત્ર મૂકીને પોતાની ચોરીની કબૂલાત કરી અનેજીવનમાં ક્યારેય ચોરી નહીં કરવાનો નિયમ લીધો… કોઈની પણ શ્રધ્ધા વિશે કદી કશું કહેવાનું નજ હોય, પરંતુ સવાલ એ છે કે, આ એક પ્રસંગ (કદાચ સાચો પણ હોય) ઉપરથી […]

ઈસ ભરોસે પે કર રહા હૂં ગુનાહ, બખ્શ દેના તો તેરી ફિતરત હૈ

ભારતીય સંસ્કૃતિમાં ‘પશ્ચાતાપ’ અને ‘પ્રાયશ્ચિત’ એવા બે શબ્દો આપણને મળે છે…કોઈપણ અયોગ્ય કામ કે જેને સાદી વ્યવહારું ભાષામાં ખોટું કે અસ્વીકાર્ય કહી શકાય તેવા વર્તનવિશે અફસોસ થવો માનવસહજ બાબત છે. કોઈને નારાજ કરીએ, તકલીફ આપીએ, અન્યાયકરીએ, ન કહેવાના શબ્દો કહેવાઈ જાય ત્યારે થતી લાગણીને આપણે પશ્ચાતાપ કહીએ છીએ.પશ્ચાતાપ કર્યા પછી એ વર્તન નહીં જ થાય, […]

શરીર અને સંબંધઃ સાચવવા સહેલા નથી

માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવીપ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાંડગલેને પગલે […]

યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ

-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય […]

હું જ બ્રહ્મ છું: અસ્તિત્વ અર્થહીન ન હોઈ શકે

જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેકફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છેઅને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારેપ્રશ્ન થાય છે કે, શું […]

ત્યાગ અને વિરક્તિઃ છોડવું અને છૂટી જવું!

રાજેશ વ્યાસ (મિસ્કિન)ની ગઝલનો એક શેર છે, તારું  કશું  ન   હોય  તો  છોડીને  આવ  તું,તારું  જ બધું   હોય  તો  છોડી  બતાવ  તું. આપણે બધા જ ફિલોસોફીની વાતો કરવામાં પાછા પડીએ એમ નથી. ગીતાનું જ્ઞાન આપણા બધા માટે‘આપવાની ચીજ’ છે, જીવનમાં અમલમાં મૂકવા માટે આપણી પાસે એક બીજો જ માપદંડ અને જુદીવિચારસરણી છે. માણસમાત્રને જવાબદારીનો કંટાળો […]