Category Archives: Madhurima

મો કો કહાં ઢૂંઢે રે બંદે મૈં તો તેરે પાસ મેં, ખોજિ હોએ તુરત મિલ જાઉં એક પલ કી તલાશ મેં

થોડા સમય પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. મંદિરમાં ચોરી કરનાર એક માણસનેલકવો થયો એણે ચોરી કરેલા પૈસાની સાથે એક પત્ર મૂકીને પોતાની ચોરીની કબૂલાત કરી અનેજીવનમાં ક્યારેય ચોરી નહીં કરવાનો નિયમ લીધો… કોઈની પણ શ્રધ્ધા વિશે કદી કશું કહેવાનું નજ હોય, પરંતુ સવાલ એ છે કે, આ એક પ્રસંગ (કદાચ સાચો પણ હોય) ઉપરથી […]

ઈસ ભરોસે પે કર રહા હૂં ગુનાહ, બખ્શ દેના તો તેરી ફિતરત હૈ

ભારતીય સંસ્કૃતિમાં ‘પશ્ચાતાપ’ અને ‘પ્રાયશ્ચિત’ એવા બે શબ્દો આપણને મળે છે…કોઈપણ અયોગ્ય કામ કે જેને સાદી વ્યવહારું ભાષામાં ખોટું કે અસ્વીકાર્ય કહી શકાય તેવા વર્તનવિશે અફસોસ થવો માનવસહજ બાબત છે. કોઈને નારાજ કરીએ, તકલીફ આપીએ, અન્યાયકરીએ, ન કહેવાના શબ્દો કહેવાઈ જાય ત્યારે થતી લાગણીને આપણે પશ્ચાતાપ કહીએ છીએ.પશ્ચાતાપ કર્યા પછી એ વર્તન નહીં જ થાય, […]

શરીર અને સંબંધઃ સાચવવા સહેલા નથી

માણસ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે પોતાના અહંકારમાં વારંવાર એવું કહે છે કે,એને કોઈની જરૂર નથી. સંબંધો તોડવા અને જોડવા-મોટાભાગના માણસો માટે એક રમત જેવીપ્રવૃત્તિ હોય છે. સત્ય તો એ છે કે, આપણે બધા આપણા સંબંધોના કારણે જ આપણી કોઈઓળખ કે અસ્તિત્વ ઊભું કરી શકીએ છીએ. જન્મ આપનાર માતા-પિતાથી શરૂ કરીને જીવનમાંડગલેને પગલે […]

યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ

-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય […]

હું જ બ્રહ્મ છું: અસ્તિત્વ અર્થહીન ન હોઈ શકે

જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી, ક્યારેકફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ દિશામાં, સમુદ્ર તરફ… અંતે, એનું અસ્તિત્વ વિલીન થઈ જાય છેઅને એ સમુદ્ર બની જાય છે. ખારું થવા માટે આટલું બધું મીઠું પાણી આકાશમાંથી પૃથ્વી ઉપર વરસે છે, ત્યારેપ્રશ્ન થાય છે કે, શું […]

ત્યાગ અને વિરક્તિઃ છોડવું અને છૂટી જવું!

રાજેશ વ્યાસ (મિસ્કિન)ની ગઝલનો એક શેર છે, તારું  કશું  ન   હોય  તો  છોડીને  આવ  તું,તારું  જ બધું   હોય  તો  છોડી  બતાવ  તું. આપણે બધા જ ફિલોસોફીની વાતો કરવામાં પાછા પડીએ એમ નથી. ગીતાનું જ્ઞાન આપણા બધા માટે‘આપવાની ચીજ’ છે, જીવનમાં અમલમાં મૂકવા માટે આપણી પાસે એક બીજો જ માપદંડ અને જુદીવિચારસરણી છે. માણસમાત્રને જવાબદારીનો કંટાળો […]

ટુરિસ્ટ અને ટ્રાવેલરઃ પ્રવાસી અને મુસાફર

નાના હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં મામાને ત્યાં જવાની એક મજાની પરંપરા હતી. આખું વર્ષ માસૌનું ધ્યાન રાખે-છોકરાઓને સ્કૂલે મોકલે, પતિનું ટિફિન બનાવે, સાસુ-સસરાની સેવા કરે અને મહેમાનોનીઆગતા-સ્વાગતા કરે પછી વેકેશન પડે ત્યારે ગૃહિણીને પણ રજા મળે. સંતાનોને લઈને એ ‘પિયર’ આવે.આરામથી માતા-પિતાનો સ્નેહ અને પોતાની રજાઓ માણે. સમય બદલાયો, હવે કોઈને કોઈના ઘરે જવું ગમતુંનથી. […]

સેલ્ફ મેડિકેશન-સૌથી ભયાનક રોગ છે

જેણે આખા જગતને જીતવા વિશ્વ યુધ્ધ કર્યું અને હજારો લોકોના જીવ લીધા એવા એડોલ્ફ હિટલરેઅંતે આત્મહત્યા કરી. જેની ફિલ્મો ‘ક્લાસિક’ કહેવાય છે એવા ગુરૂદત્ત જેવા મહાન કલાકારે ઊંઘની ગોળીઓલઈને આત્મહત્યા કરી. વિદેશમાં ફિલીપ એડમ્સ જેવા ફૂટબોલ પ્લેયર અને ફિડેલ કાસ્ટ્રો જેવા ક્યુબાનારાજકારણી આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા. એલ્વિસ પ્રેસ્લી, મેરેલિન મોનરો અને બે વર્ષ પહેલાં સુશાંતસિંહરાજપૂત […]

ANGER = DANGER

એન્ગર-ગુસ્સાનો સ્પેલિંગ છે ANGER અને ડેન્જર-ખતરાનો સ્પેલિંગ છે DANGER. ગુસ્સોખતરાથી ફક્ત એક જ અક્ષર દૂર હોય છે. સ્વાસ્થ્ય, સંબંધ અને સમાજ, ત્રણેય માટે ગુસ્સોભયજનક છે. ગુસ્સામાં માણસ એવું બોલી કે વર્તી બેસે છે જેનો પસ્તાવો ક્યારેક જીવનભરકરવો પડે છે. ગુસ્સો મનની નેગેટિવ લાગણીઓનો ઊભરો છે. વાસણની અંદર રહે ત્યાંસુધી નુકસાન નથી થતું, પરંતુ દૂધ કે […]

જે જીવ્યા એનો અસ્વીકાર જીવન પ્રત્યે તિરસ્કાર છે

એક બહેન નાના બાળકો અને તાજી મા બનેલી સ્ત્રીઓની માલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતાહતા. મારા બંને સંતાનોને એમણે ખૂબ વહાલથી માલિશ કર્યું છે. અમને પણ એમના માટે ખૂબ આદર અનેપારિવારિક સંબંધ! એમનો દીકરો એન્જિનિયર થયો. સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. ઘણા વખત પછી એ મનેમળ્યા. ભાવથી મળ્યા પછી એમણે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું, પણ સાથે જ […]