Category Archives: DivyaBhaskar

માણસ અને મ્યુઝિયમઃ આજ અને ઈતિહાસ

14 ડિસેમ્બર, રાજ કપૂરનો જન્મદિવસ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમનો જન્મદિવસધામધૂમથી ઊજવાતો. આર.કે. સ્ટુડિયોમાં13 ડિસેમ્બરની રાત્રે બોલિવુડના મોટામોટા સ્ટાર્સરાજસા’બને જન્મદિવસની શુભેચ્છા આપવા ઊમટી પડતા. એ સિવાય આર.કે.ની હોળી, રાજસા’બજીવ્યા ત્યાં સુધી એક અનોખો પ્રસંગ બની રહેતી. આર.કે.ની હોળીમાં નિમંત્રણ મળે એ સ્ટારનુંસદભાગ્ય કહેવાતું… 17 સપ્ટેમ્બર, 2017… બપોરે 2.20, આર.કે. સ્ટુડિયોમાં લાગેલી ભયાનક આગની […]

ભૂલનું બીજ, ગુન્હાનું વૃક્ષઃ જવાબદાર કોણ ?

‘એક માણસને કેટલી જમીન જોઈએ ?… છ ફૂટ !’ લિયો ટોલ્સટોયની આ કથા આપણેઅનેકવાર કહી છે, સાંભળી છે, પરંતુ જીવનમાં ઉતારી શક્યા નથી ! એક ગામમાં એક માણસપહોંચ્યો. એને જમીન ખરીદવી હતી. ગામના મુખીએ કહ્યું કે, ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમેજેટલી જમીન પર ચક્કર લગાવી શકો એટલી જમીન તમારી થઈ જશે…’ એ માણસ રાત્રે ઊંઘમાં જચક્કર […]

બેક ટુ સ્કૂલઃ મજા કે સજા ?

22 માર્ચ, 2019… આખો દેશ, દુનિયા એક સાથે બંધ થઈ ગયાં. લોકો પોતાના ઘરમાં પૂરાયાઅને સાથે જ શાળા-કોલેજો પણ બંધ થઈ ગઈ. હવે, અઢી વર્ષ કરતાં વધુ સમય પછી શાળાઓ ખૂલીછે. મોટાભાગના બાળકો શાળા, મિત્રો અને સમૂહજીવન ભૂલવા લાગ્યા હતાં. ઓનલાઈન શિક્ષણ એટલુંબધું કોઠે પડી ગયું હતું કે હવે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને સ્કૂલબેગ, વોટરબેગ […]

શિક્ષક એટલે ‘સરકારી નોકર’ કે…?

શિક્ષકો સાથે સંવાદ કરવાના મારા પ્રયાસ અને સી.આર. પાટીલની જાહેરાતથી સારું એવુંટ્રોલિંગ થયું… કાજલ ઓઝા વૈદ્ય શિક્ષકો સાથે સંવાદ કેવી રીતે કરી શકે ? ત્યાંથી શરૂ કરીને બીજાઘણા સવાલો ઊભા થયા ત્યારે એક વિચાર એવો આવ્યો કે, કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેસંવાદ કરવા માટે સમ-વેદના સિવાય બીજી કઈ લાયકાતની જરૂર પડે ? દેશનું ભવિષ્ય જે […]

‘સાંભળી’; શકીએ તો ‘સંભાળી’ શકીએ

‘અત્યારે નહીં…’ ‘શરૂ ના કરીશ…’ ‘એકની એક વાત કેટલીવાર કહીશ ?’ ‘ચૂપ રહે…’ ‘બકવાસ ના કર…’ ‘જસ્ટશટ અપ’ આ શબ્દો આપણે કેટલીવાર કહ્યા અને સાંભળ્યા છે. સામાન્ય રીતે કોઈપણ માણસ અણગમતી વાત, કેઅણગમતા સૂરમાં આપણે ન સાંભળવી હોય એવી વાત શરૂ કરે એટલે આપણે એને તરત જ બંધ કરવાનો પ્રયત્ન કરીએછીએ. આ વર્તન સ્વાભાવિક છે. […]

‘સ્પા’ અને ‘હમામ’ : અનીતિનો ધીકતો વ્યાપાર

ગુજરાતી સામાન્ય રીતે વ્યાપારી પ્રજા તરીકે ઓળખાય છે. પૈસા કમાવા એ મોટાભાગનાગુજરાતીઓનો ‘શોખ’ છે. વ્યાપારના સમયે ગુજરાતી કોઈ મસાજ પાર્લર, ‘સ્પા’ કે હમામનાવેઈટિંગમાં બેઠેલો દેખાય તો સહજ રીતે નવાઈ લાગે. જોકે, હવે આ બહુ આશ્ચર્યજનક દૃશ્ય નથીરહ્યું. યુવાન અને આધેડ વયના કેટલાય પુરૂષો આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા ‘સ્પા’ કે‘મસાજ પાર્લર’માં જોવા મળે છે. એની સાથે […]

છોડ દે સારી દુનિયા કિસી કે લિયે…

1983થી 1995… એક એવી અભિનેત્રીની કારકિર્દી જેણે બાર વર્ષમાં 72 ફિલ્મો કરી. સુભાષઘાઈની ફિલ્મમાં નવા હીરો સાથે એને રજૂ કરવામાં આવી, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સનીદેઓલ, રિશી કપૂર જેવા અનેક ‘એ’ લિસ્ટેડ એક્ટર્સ સાથે અને ‘એ’ લિસ્ટેડ ડિરેક્ટર્સ સાથે કામ કરીનેએણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી ! એ હદ સુધી કે 2016માં જ્યારે એમની સુપરહિટ ફિલ્મની સિક્વલબનતી […]

જવાહર જિદ્દી હતા, ને સરદાર સમજદાર ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ મોતીલાલ નેહરુનો આજે 132મો જન્મદિવસ છે.નેહરુ અને સરદાર વિશે અનેક લોકોએ પોતપોતાના મંતવ્યો પ્રગટ કર્યા છે. એમની વચ્ચેના સંબંધોખરેખર શું અને કેવા હતા એ વિશે તો એમના સિવાય બીજું કોઈ સત્તાવાર રીતે કહી શકે નહીં, પરંતુએમની વચ્ચેના કેટલાક પ્રગટ સંવાદના અંશો વાંચતા આપણને કેટલીક બાબતો સમજાય… જેનાથીસરદારની સમજદારી અને નેહરુના કેટલાક […]

શાસ્ત્ર અને સમજઃ રિવાજ અને કુરિવાજ

વિશ્વભરમાં ફાયનાન્સિયલ વર્ષ, ચોપડા કે ઈન્કમટેક્ષના કાગળો પહેલી એપ્રિલથી શરૂ થાય છે.આમાં કોઈ મજાક છે-કે કોઈ અજાણતાં જ થઈ ગયેલી રમૂજ છે, એવો વિચાર આવ્યા વગર રહેતો નથીકારણ કે, પહેલી એપ્રિલ વિશ્વભરમાં ‘એપ્રિલફૂલ’ તરીકે ઉજવાય છે. એકબીજાને મૂરખ બનાવવાનો,આનંદ લેવાનો આ દિવસ આખા વિશ્વમાં ફાયનાન્સિયલ વર્ષની શરૂઆતનો દિવસ પણ છે ! પરંતુ,ભારતીય કેલેન્ડર અને ભારતીય […]

સરદારઃ વક્તવ્ય અને વ્યક્તિત્વ

તા. 6.11.1936ના રોજ, સુરતમાં સરદારે આપેલા ભાષણમાં એમણે કહ્યું હતું કે, “વ્યક્તિચૂંટણી જીતાડી શકતી નથી. પક્ષના ઉમેદવારોનું કામ અને એમણે કરેલા પ્રજા કલ્યાણના નિર્ણયો જચૂંટણી માટે મહત્વના હોય છે…” કોઈ પંડિત જવાહરલાલને ગુજરાતમાં બોલાવવાની સૂચના કરે છે.તેમને શાને માટે બોલાવીએ? ચૂંટણી માટે ? તો તો તમારી અને મારી લાજ ન જાય ? આટલું સહનકર્યું, આટલી […]