અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર […]
Category Archives: DivyaBhaskar
લગભગ પોતાની જ ઉંમરની ‘મા’ પોતાની સાથે ઘરમાં રહેતી હોય, પિતાની ગેરહાજરી હોય અને એ પિતાથી જન્મેલા પોતાના સાવકા ભાઇઓને ઉછેરવાનું કામ જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય, ત્યારે એને શું કહેવાય ? ભીષ્મ ! પિતા શાન્તનુના મનમાં જન્મેલી મત્સ્યગંધા – સત્યવતી માટેની ઝંખનાને પૂર્ણ કરવા દીકરો લગ્ન નહીં કરવાનું નક્કી કરે છે. ગંગાપુત્ર […]
‘હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. મારે આગળ નથી વધવું… મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારા પરિવારને હાનિ પહોંચે.’ 23 વર્ષનો એક છોકરો રડતો રડતો હાથ જોડીને પોતાના પરિવારને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. આ છોકરાના પરિવારને એના ગામના સરપંચે પોતાના ઘરમાં પૂરી દીધો હતો, એ જૂના મકાનને સળગાવી દઈને આખા પરિવારને […]
એક વાચકનો ઈ-મેઈલ છે, “રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના સંબંધ વિશે કંઈ બોલો અથવા લખો…” એમનો ઈ-મેઈલ તો ખૂબ લાંબો છે. જેમાં એમણે પોતાની બહેન સાથે થયેલા પ્રોપર્ટીના ઝઘડા વિશે વિગતો લખી છે. પિતા ગુજરી ગયા ત્યારે બહેનની ઉંમર અગિયાર વર્ષની હતી. ઓગણીસ વર્ષના ભાઈએ શિક્ષણની સાથે નોકરી કરીને બહેનને મોટી કરી, ભણાવી અને પરણાવી. કરમસદના ઘર […]
“તને મેં પીડી છે, અવશ બની ઉત્ક્રાન્ત તનથી, તને મેં ચાહી છે વિવશ બની ઉદભ્રાન્ત મનથી, પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો…” વિનોદ જોશીનું દીર્ઘ કાવ્ય ‘શિખંડી’ની આ પંક્તિઓ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈને લખાઈ છે. એમણે એમના પ્રાકકથનમાં લખ્યું છે, “પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ […]
“મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે. હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલે ઓથોરિટિઝને જણાવ્યું છે. પરિવાર અને સ્ટાફની વ્યક્તિઓનો પણ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટની રાહ જોવાય છે. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે એ સહુને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.” (ટ્વિટ નં. 3,590) અમિતાભ બચ્ચનની આ ટ્વિટે આખા દેશને એક એવો સંદેશો આપ્યો જે […]
“હું રોજ મારી પત્નીના પગ દબાવું છું.” જાણીતા ક્રિકેટર હાર્દિક અઠવાડિયે ગયે અઠવાડિયે કરેલા આ વિધાન પછી ઘણા લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે. એમણે કહ્યું હતું કે, “ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ કહે છે, કારણ કે જે વ્યક્તિ સારો માણસ હોય એ જ સારો ક્રિકેટર બની શકે !” આ વાત માત્ર ક્રિકેટ માટે જ લાગુ પડે છે […]
“એક ઔરત કા જબ સબ કુછ લૂટ જાતા હૈ તો ઉસકે પાસ અપના જિસ્મ બચ જાતા હૈ… ઉસ જિસ્મ કે બદલે મેં ઔરત જો ચાહે વો પા સકતી હૈ.” આ સંવાદ ‘એક થી બેગમ’ નામની વેબ સિરીઝમાં અશરફ ભાટકર (અનુજા સાઠે) એને પ્રેમ કરતા એક પ્રામાણિક પોલીસ ઈન્સ્પેકટર (ચિન્મય માંડલેકર)ને કહે છે. છેલ્લાં થોડા સમયથી […]
જેને ગામનો અનુભવ હશે એને ખબર હશે કે દરેક ગામમાં એક ચોરો હોય, એ ચોરા ઉપર કેટલાક નવરા અને નકામા માણસો બેસી રહે. આવા લોકોને અદકપાંસળિયા કહેવાય, જેમનું કામ બીજાને ચીડવવાનું, ઈરીટેટ કરવાનું, ઘસાતી કોમેન્ટ કરવાનું હોય. એમાં એમને અનોખો આનંદ આવે. ગામના લોકો આવા માણસો પ્રત્યે ધ્યાન ન આપે. આજના સમયમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ […]
સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અનેક લોકવાયકાઓ વહેતી થઈ છે. કોઈકે એને હેરાન કર્યો, કોઈકે ફિલ્મમાંથી બહાર કાઢ્યો કે એનું અપમાન થયું વગેરે માટે સફળ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો ઉપર દોષનો ટોપલો ઓઢાડવામાં આવી રહ્યો છે. એણે પચાસ સીમકાર્ડ બદલ્યાં હતાં, કે વિકિપીડિયા પર એની આત્મહત્યાની માહિતી આત્મહત્યા પહેલાં જ અપડેટ કરી દેવામાં આવી […]