Category Archives: DivyaBhaskar

મારા અને દુશ્મનમાં ફરક છે એક જ,ટીકાથી એ બેપરવા, હું તારીફથી પર

મરીઝ સાહેબનો આ શે’ર જિંદગીની એક એવી ફિલોસોફી છે જે આપણને સૌને જીવવાનો એકજુદો જ અભિગમ-પર્સપેક્ટિવ કે વિચાર આપે છે. મોટાભાગના લોકોને દુનિયાની બહુ પરવાહ હોય છે.‘લોકો શું કહેશે’ એ વિચારી વિચારીને મોટાભાગના લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર સતત ચેકકર્યા કરે છે. મજાની વાત એ છે કે, આપણે ગમે તેટલા પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરીએ […]

પ્રકરણ – 19 | આઈનામાં જનમટીપ

અવિનાશકુમારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, શ્યામા સીધી દિલબાગ સુધી પહોંચી જશે. અહીંથી દિલબાગનાબે માણસો મુરલી અને શાનીની સાથે શ્યામાએ નાર્વેકરની મદદ લઈને દિલબાગના ફોન પર આવેલા છેલ્લા ફોનને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. અવિનાશકુમારે પસંદ કરેલા લોકલ માણસો કદાચ એટલા સ્માર્ટ નહોતા એટલે સીમકાર્ડ તોડીને ફેંકવાને બદલે એમણે એ ફોન ચાલુ રાખ્યો. નાર્વેકર માટે આટલું જ […]

પ્રકરણ – 18 | આઈનામાં જનમટીપ

હાઈવે પરના ઢાબામાં બેઠેલો દિલબાગ થોડી વાર તો નાના બાળકની જેમ રડતો રહ્યો. એ પછી એણે એનાલોકલ કોન્ટેક્ટ્સને ફોન કરવાનું શરૂ કર્યું. પાંચ-છ ફોનમાં દિલબાગને સમજાઈ ગયું કે, એના પોતાના એવા માણસોજેને દિલબાગ વિશ્વાસુ, જાંનિસાર માનતો હતો એ લોકો પણ રાહુલ તાવડે પાસે પૈસા લઈને વેચાઈ ચૂક્યા હતા.કોઈકે મા બિમાર હોવાનું બહાનું કાઢ્યું તો કોઈકે […]

કહાં ગયે વો લોગ?

કેન્દ્રિય ગૃહ વિભાગે સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, રાજ્યમાં દરવર્ષે લગભગ 1500થી વધુ છોકરીઓ લાપતા થાય છે જે 18 વર્ષથી નાની છે. ગુજરાતમાં 2017માં1528, 2018માં 1680, 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓગૂમ થઈ હતી. આ સત્તાવાર રીતે નોંધાયેલી ફરિયાદના આંકડા છે. આ સિવાય નાના ગામોમાં કેઆદિવાસી વિસ્તારોમાં ગૂમ થયેલી છોકરીઓ […]

ઈર્ષા પોઝિટિવ હોય?

રૂક્મિણીને રાધાની ઈર્ષા થાય ત્યારે આપણને એક સવાલ થાય, રાધાને તો કૃષ્ણ મળ્યો નથી…રૂક્મિણી એને પતિ તરીકે પામી, તો પછી રાધા પાસે એવું શું છે-જેનાથી રૂક્મિણીને ઈર્ષા થાય! ઘણીવારબે બહેનપણીઓમાં એક મધ્યમવર્ગીય, સાવ ગરીબ હોય તેમ છતાં એનો ઘરનો આનંદ, શાંતિ, સ્નેહ અનેપારિવારિક સંપ જોઈને એક કરોડપતિ બહેનપણીને એની ઈર્ષા થાય… ત્યારે એક સવાલ થાય […]

પ્રકરણ – 17 | આઈનામાં જનમટીપ

મંગલસિંઘને આપેલા ઈન્ટ્રાવિનસ એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી હતી. એણે આંખો ખોલી ત્યારેઝુમ્મર લટકતી કોઈ હવેલી જેવા મકાનની પોપડા ઉખડેલી છત જોઈને એનું મગજ સતેજ થયું. હજી એનેસ્થેસિયાનીઅસર સાવ ઓછી નહોતી થઈ, એટલે ફરી એની આંખો મીંચાઈ ગઈ. એણે મહાપ્રયત્ને આંખો ખોલીને પૂછ્યું, ‘હુંક્યા છું?’રાહુલ તાવડેના માણસે મંગલસિંઘની પલ્સ ચેક કરી. આંખોના પોપચા ઊંચા કરીને […]

યુવા પેઢીની બેજવાબદારી કે બેઈમાની માટે એ એકલા જ જવાબદાર છે?

છેલ્લા થોડા દિવસથી ‘તથ્ય’નું તથ્ય શોધવામાં મીડિયા વ્યસ્ત છે. એણે અપલોડ કરેલા ગીતો,આ પહેલાં કરેલા એક્સિડેન્ટ, એના પિતાના ગુનાહિત ઈતિહાસ સાથે જોડાયેલા કેટલાંક પ્રકરણો વિશેહવે આપણે બધા જાણીએ છીએ, પરંતુ સવાલ એ છે કે, એણે નવ જણાંને ઉડાડ્યા, ત્યાં સુધીઆપણે શેની પ્રતીક્ષા કરી રહ્યા હતા? આ પહેલાં થયેલા બે અકસ્માતો વિશે હવે જાણકારી મળી છે-તો […]

કમલા નહેરુઃ ઉપેક્ષિત પત્ની, એકલવાયી સ્ત્રી

કેટલીકવાર ઈતિહાસમાં જીવી ગયેલા કેટલાક લોકો વિશે ચાલતી વાતોમાંથી આપણે સત્ય કેઅસત્ય તારવી શકતા નથી. આપણે એ સમયમાં નહોતા, માટે સાચું, ખોટું નક્કી કરવું એ આપણાહાથમાં નથી હોતું તેમ છતાં ક્યારેક કેટલીક વિગતો જાણીને આપણને આઘાત લાગે એવી વિગતો પણઆપણા સુધી પહોંચતી હોય છે. કહેવાય છે કે, જવાહરલાલ નહેરુએ એમના પત્નીને દસ વર્ષ સુધીટી.બી. સેનેટોરિયમમાં […]

પ્રકરણ – 16 | આઈનામાં જનમટીપ

સફેદ રંગની અલ્કાઝાર ગાડીમાં બેહોશ મંગલસિંઘ પાછળની સીટમાં પગે ફ્રેક્ચર અને હોસ્પિટલના કપડાંપહેરીને પડ્યો હતો. આગલી સીટમાં બેઠેલો માણસ વારેવારે પાછળ ફરીને જોઈ રહ્યો હતો. મંગલસિંઘને સિટબેલ્ટબાંધીને એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે, એ હલે તો પણ સીટ પરથી લસરીને નીચે ન પડે. પાછળની સીટ ખોલીને સેવન સીટર ગાડીમાં પાછળ બેઠેલો એક માણસ સતત મંગલસિંઘ […]

વિદ્યાઃ મુક્તિ અપાવે એ કે પછી મગજ બગાડે એ?

અમદાવાદની એક ‘મોટી અને મોંઘી’ કહેવાતી શાળામાં ભણતા એક નાનકડા વિદ્યાર્થીને ઘરેપૂજા હોવાથી કપાળમાં તિલક કરીને શાળાએ મોકલવામાં આવ્યો. શાળામાં એને એ તિલક લૂછીનાખવાની ફરજ પાડવામાં આવી એટલું જ નહીં, પરંતુ શાળામાંથી નોંધ આવી, ‘હવે પછી આવું તિલકકરીને કે ધર્મના પ્રતીક સાથે બાળકને શાળામાં મોકલવો નહીં. આ અમારી શાળાના નિયમોની વિરુધ્ધ છે.’ ક્યારેકનવાઈ લાગે એ […]