Category Archives: Madhurima

મૈં ભૂલ જાઉં તુમ્હેં… અબ યહી મુનાસીબ હૈ

1998માં રિલિઝ થયેલા જગજીતસિંગના આલ્બમ જાવેદ અખ્તરની એક નઝ્મ સમાવી લેવાઈ હતી… જિંદગીના સંબંધોને આ નઝ્મ બહુ જુદી રીતે અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે આ નઝ્મને સ્ત્રી-પુરુષના સંબંધથી બહાર નીકળીને જોઈએ તો એ દરેક સંબંધ સાથે જોડી શકાય એવી યુનિસેક્સ અને યુનિવર્સલ કવિતા છે. મૈં ભૂલ જાઉં તુમ્હે, અબ યહી મુનાસિબ હૈ, મગર ભુલાના […]

નમ્રતાઃ સાચી અને ખોટી

એક ફકીર રસ્તો પરથી પસાર થઈ રહ્યો હતો. એણે એક મોટો આશ્રમ જોયો. જમવાનો સમય થયો હતો, એટલે આશ્રમમાં જમવા માટે દાખલ થયો. આશ્રમના સંચાલક અથવા મહંત જમવા બેઠેલા દરેક માણસ પાસે આવીને પ્રણામ કરતા, ભોજન પીરસતા અને કહેતા, “હું તમારા ચરણની ધૂળ છું.” બાકીના લોકો ઉભા થઈ જતા, મહંતને પગે લાગતા, સામે નમ્ર થઈને […]

અબ દુનિયા મેં કિસી સે નફરત મત કરના…

ગુરુને બાત સુનાયા, બે !  મુજકું ફકીર બનાયા, બે ! ઈ.સ. ૧૪૪૦ની આસપાસ એક વણકરને ત્યાં એક દીકરો જન્મ્યો. જેના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે… એ વણકરની પત્નીને મળ્યો, કોઈ બ્રાહ્મણીનો દીકરો હતો કે પછી વણકરનો જ દીકરો હતો… જન્મ વિશેની અટકળો અને લોકવાયકાઓ અનેક હોઈ શકે, પણ જીવન વિશેનું સત્ય એટલે કર્મ ! આ […]

પુત, સપૂત તો ક્યોં ધનસંચય? પુત, કપૂત તો ક્યોં ધનસંચય ?

લગભગ પોતાની જ ઉંમરની ‘મા’ પોતાની સાથે ઘરમાં રહેતી હોય, પિતાની ગેરહાજરી હોય અને એ પિતાથી જન્મેલા પોતાના સાવકા ભાઇઓને ઉછેરવાનું કામ જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય, ત્યારે એને શું કહેવાય ? ભીષ્મ ! પિતા શાન્તનુના મનમાં જન્મેલી મત્સ્યગંધા – સત્યવતી માટેની ઝંખનાને પૂર્ણ કરવા દીકરો લગ્ન નહીં કરવાનું નક્કી કરે છે. ગંગાપુત્ર […]

સંપત્તિ કે સંબંધ : પસંદગી તો આપણી જ…

એક વાચકનો ઈ-મેઈલ છે, “રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના સંબંધ વિશે કંઈ બોલો અથવા લખો…” એમનો ઈ-મેઈલ તો ખૂબ લાંબો છે. જેમાં એમણે પોતાની બહેન સાથે થયેલા પ્રોપર્ટીના ઝઘડા વિશે વિગતો લખી છે. પિતા ગુજરી ગયા ત્યારે બહેનની ઉંમર અગિયાર વર્ષની હતી. ઓગણીસ વર્ષના ભાઈએ શિક્ષણની સાથે નોકરી કરીને બહેનને મોટી કરી, ભણાવી અને પરણાવી. કરમસદના ઘર […]

ન મળે એને નષ્ટ કરવું?

“તને મેં પીડી છે, અવશ બની ઉત્ક્રાન્ત તનથી, તને મેં ચાહી છે વિવશ બની ઉદભ્રાન્ત મનથી, પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો…” વિનોદ જોશીનું દીર્ઘ કાવ્ય ‘શિખંડી’ની આ પંક્તિઓ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈને લખાઈ છે. એમણે એમના પ્રાકકથનમાં લખ્યું છે, “પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ […]

વો ન સૂન સકેગા તેરી સદા…

“હું રોજ મારી પત્નીના પગ દબાવું છું.” જાણીતા ક્રિકેટર હાર્દિક અઠવાડિયે ગયે અઠવાડિયે કરેલા આ વિધાન પછી ઘણા લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે. એમણે કહ્યું હતું કે, “ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ કહે છે, કારણ કે જે વ્યક્તિ સારો માણસ હોય એ જ સારો ક્રિકેટર બની શકે !” આ વાત માત્ર ક્રિકેટ માટે જ લાગુ પડે છે […]

અદકપાંસળિયા, ચાંપલા, દોઢડાહ્યા ! હુ કેર્સ ?

જેને ગામનો અનુભવ હશે એને ખબર હશે કે દરેક ગામમાં એક ચોરો હોય, એ ચોરા ઉપર કેટલાક નવરા અને નકામા માણસો બેસી રહે. આવા લોકોને અદકપાંસળિયા કહેવાય, જેમનું કામ બીજાને ચીડવવાનું, ઈરીટેટ કરવાનું, ઘસાતી કોમેન્ટ કરવાનું હોય. એમાં એમને અનોખો આનંદ આવે. ગામના લોકો આવા માણસો પ્રત્યે ધ્યાન ન આપે. આજના સમયમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ […]

ગૈર-સમજણ… પોતાના સાથે ન હોય !

“અમારી વચ્ચે નાની-નાની વાતમાં ગેરસમજણ થઈ જાય છે. હું જે કહેવા માગું છું એ વાત એમને સમજાતી જ નથી. એ પોતાનો મનફાવતો અર્થ કાઢીને મારી સાથે ઝઘડે છે… અમારી વચ્ચે ખૂબ જ મનદુઃખ થાય છે. હું એમને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ આ ગેરસમજણને કારણે અમે સુખથી રહી શકતા નથી.” એક વાચકનો ઈ-મેઈલ વાંચ્યો. આ […]

વક્ત કરતા જો વફા…

“સુખ માટે ભેગા થયેલા બે જણા, અંતે સુખ મેળવવા જ છૂટા પડે છે…” જાણીતા લેખક-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે “ઈન્સ્ટાગ્રામ” ઉપર લાઈવ ચર્ચામાં એમણે આ વાત કહી, ત્યારે લાગ્યું કે આ સાંભળીને કોઈપણ વ્યક્તિએ પોતાના સંબંધો વિશે આ વાત સમજવી જોઈએ. આમ જોવા જઈએ તો કેટલું સાચું છે આ ! પ્રેમ હોય કે પરિવાર, અંતે આપણે […]