Category Archives: DivyaBhaskar

હાલરડાં, બાળવાર્તા અને બાળપણઃ હજી જુનવાણી નથી થયાં

છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે, બાળકનું બાળપણ ખોવાતું જાય છે. સાવ નાનકડુંબાળક પોતાના જેટલો જ બોજ ઉંચકીને સ્કૂલે જાય છે. વધારાની પ્રવૃત્તિઓ, કરાટે, સંગીત, ચિત્ર,નૃત્ય… અને ટ્યુશન્સમાંથી એને એના બાળપણ માટે સમય નથી રહ્યો. એક સમય હતો કે, બાળપણનું બાળપણ એના જીવનની સૌથી અગત્યની વસ્તુ હતી. દરેક માતા-પિતા એવું કહેતાં સાંભળવા મળતા, ‘હજી […]

ચોર-પોલીસની રમતનું રંગીલું રમખાણઃ કમઠાણ

2003ના વર્ષમાં આ અશ્વિની ભટ્ટે લખેલું, “‘કાજલ’ તેનું નામ. પત્રકારત્વ, નાટક,ટી.વી., કવિતા, નવલકથા એ બધું જ રક્તકણોની જેમ તેની રગોમાં વહે છે. આંગળીને વેઢે ગણાયતેટલી સ્ત્રી લેખિકાઓમાં તે આજની અને આવતીકાલની લેખિકા છે. તેના દિમાગમાં સ્ફુરતીવાર્તાઓ તે જેટલી આસાનીથી અને ઝડપથી કહી શકે છે તેટલી તે લખે તો ગુજરાતી ભાષામાંમાતબર લેખિકાનું સ્થાન તે આજેય મેળવી […]

નવી પેઢીનો પ્રેમઃ નવી વ્યાખ્યા અને નવું પરિમાણ

આવતીકાલે વલેન્ટાઈન ડે છે. છેલ્લા એક અઠવાડિયાથી બજારોમાં વલેન્ટાઈનને લગતી ભેટો,કાર્ડ અને બીજી જાતભાતની વસ્તુઓ વેચાવા લાગી છે. યુવા પેઢીના કેટલાય લોકો ઘણા દિવસથી તૈયારીકરતા હશે. પોતાની પ્રિયતમાને કે પ્રેમીને, પત્નીને કે પતિને વિશ કરવા માટે જાતજાતની સરપ્રાઈઝ પણકદાચ પ્લાન કરી હશે. તો બીજી તરફ કેટલાક લોકોને વલેન્ટાઈન ડે સામે તીવ્ર વિરોધ છે. એમનું માનવુંછે […]

માગો તો જ મેળવશોઃ અન્યાય સામે ફરિયાદ કરવી એ આપણા સૌની ફરજ છે

તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીનીનાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથીહીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાંઆવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્યમાણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા […]

यद्भूतहितमत्यन्तं तद्धि सत्यं प्रकीर्तितम् । જેનાથી સર્વ પ્રાણીઓનું હિત થાય તે જ સત્ય છે

આપણે આપણા બાળકોને કેટલાય શ્લોક, અયાત, શબદ, કોએર કે ચાન્ટ શીખવીએ છીએ.નાનકડા બાળક પાસે રાધે-રાધે, જે-જે કરાવીએ છીએ, પરંતુ આ શ્લોક, ચાન્ટ કે કોઈપણ ધર્મ સાથેજોડાયેલી પ્રાર્થના જ્યાં સુધી બાળક સમજે નહીં, ત્યાં સુધી એને કદી ધર્મ માટે સન્માન કે ધર્મ સાથેઅટેચમેન્ટ થશે નહીં. વડીલ કે મોટેરાને ખોટું ન લાગે અથવા પોતાને શાબાશી મળે કે […]

દિલ્હીમાં ગાંધીજીઃ મનુબહેનની ડાયરીના કેટલાક અંશ

આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષનામોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસબહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલકાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અનેઆંખો મીંચાઈ ગઈ. એમની સાથે […]

‘જ્યાં છો ત્યાં મહેકતા રહો’

આજથી 76 વર્ષ પહેલાં ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી… એમની રાજકીય કારકિર્દી કેસ્વતંત્રતાનો ઈતિહાસ તો સૌ જાણે છે. આપણા દેશને આઝાદી અપાવનાર મહાત્મા, રાષ્ટ્રપિતા એકપિતા હતા, એક સ્વસુર પણ હતા. એક લાગણીભીના પતિ અને સ્નેહાળ વ્યક્તિ હતા… જેટલીસહજતાથી એ દેશની બાબતમાં નિર્ણયો લેતા એટલી જ સરળતાથી એ માંદા પડેલા સાથીઓની ચાકરીકરી શકતા. બાની સાથે રમૂજ […]

પ્રકરણ – 42 | આઈનામાં જનમટીપ

નાર્વેકરે માથું ઊંચક્યું ત્યારે દિલબાગની લોહીલુહાણ લાશ પડી હતી. બાજુમાં એનો કોન્સ્ટેબલ પણ ડચકાંખાઈ રહ્યો હતો. ઝૂકી ગયેલા ઓફિસોમાં ભરાઈ ગયેલા, આંખો મીંચીને ઊભા રહી ગયેલા કે જમીન પર સૂઈ ગયેલાલોકો જીવતા માણસો નહીં, પણ જાણે ચિત્રોમાં દોરેલા હોય એવા સ્તબ્ધ અને સ્થિર ઊભા હતા. સૌના ચહેરા પરઆઘાતનો એવો ભયાનક ભાવ હતો જેમાંથી બહાર નીકળતા […]

મનની અયોધ્યામાં રામ પુનઃ પધારે તો…

અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દોરહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોનેરસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજનહોતા. […]

બાળ ઠાકરે અને સુભાષચંદ્ર બોઝઃ એક જન્મતારીખ, એક વિચાર

38/2 એલ્ગિન રોડ, કલકત્તા પર એક નાનકડું મકાન છે, કદાચ આજે પણ છે! એ જગ્યા એટલેસુભાષચંદ્ર બોઝે જ્યાંથી બહાર નીકળીને બર્લિન જઈ સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની રચના કરી એમકાન. વિદેશ પ્રવાસ દરમિયાન એમણે ઈટાલીમાં મુસોલિની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતનીનોંધાયેલી પ્રશ્નોત્તરી આ પ્રમાણે છે.મુસોલિનીઃ શું ભારત નજદીકના ભવિષ્યમાં સ્વાધીન થશે એવો પાકો વિશ્વાસ છે […]