મૃત્યુ પામી રહેલા રાવણ પાસે જઈને લક્ષ્મણ રાજનીતિનું જ્ઞાન માગે છે.રામનો આદેશ છે કે, રાવણ પાસે રહેલું તમામ જ્ઞાન લક્ષ્મણે સંપાદિત કર્યું, લક્ષ્મણજઈને રાવણને આદેશ કરે છે, ‘મને રાજનીતિ વિશે જ્ઞાન આપો.’ રાવણ હસે છે અનેકહે છે, ‘તારા ભાઈને જઈને કહે, કે તેં મને આદેશ કર્યો, મારાથી ઊંચા આસને બેસીનેજ્ઞાન મેળવવાની માગણી કરી.’ રામ એ […]
Category Archives: Madhurima
છેલ્લા થોડા સમયથી જો આપણે નોંધ્યું હોય તો સમજાય કે, આપણીઆસપાસના જગતમાં અહંકાર માની ન શકાય એ હદે વધી રહ્યો છે. જીવનમાં કશું નમેળવ્યું હોય-કંઈ અચિવ ન કર્યું હોય એવા લોકો પણ પોતાના ‘ઈગો’ને પંપાળ્યા કરેછે. સાવ સામાન્ય, ઓફિસ બોયથી શરૂ કરીને કુરિયર આપવા આવેલી વ્યક્તિસુધીની કોઈપણ વ્યક્તિને જો કદાચ, કંઈક ટોકવા, કે કહેવાની પરિસ્થિતિ […]
એક પતિ-પત્ની વચ્ચે હોલિડે ટ્રીપ પર ઝઘડો થયો. પત્નીએ પોતાની ભૂલકબૂલી લીધી, ‘સોરી’ કહી દીધું! એ પહેલાં જ્યારે દલીલબાજી ચાલતી હતી ત્યારેપત્નીએ ગુસ્સામાં ન કહેવાની વાતો કહી દીધી હતી. પતિના વધી ગયેલા વજનથીશરૂ કરીને સાસુ, નણંદ અને સાથે સાથે પોતે ‘આ માણસને પરણીને મેં મારી જિંદગીબરબાદ કરી’ એ પણ કહેવાઈ ગયું… પત્નીએ ‘સોરી’ કહ્યા પછી […]
‘આજે હું જે કંઈ છું એ માટે સૌથી પહેલો શ્રેય મારા માતા-પિતાને આપવો જોઈએ. 1975માંએક છોકરો નાટકો કરવા માટે જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં મળેલું એડમિશન છોડી દે, અનેગુજરાતીના પ્રોફેસર, પિતા સહજતાથી સ્વીકારીને એમ કહે કે, તને જે ગમે તે કર કારણ કે,જીવનભર અણગમતું કામ કરીને તું ક્યારેય સુખી નહીં રહી શકે…’ આ ગુજરાતી ભાષાના એકસફળ […]
એક દીકરીના લગ્ન પછી વિદાય થઈ રહી હતી, એની માએ એને પૂછ્યું,‘મહારાજાની પત્નીને શું કહેવાય?’ આંખોમાં આંસુ સાથે દીકરીએ જવાબ આપ્યો,‘મહારાણી…’ માએ દીકરીને માથે હાથ ફેરવીને પૂછ્યું, ‘અને નોકરની પત્નીને?’દીકરીને સહેજ નવાઈ લાગી, કે અત્યારે વિદાયના સમયે મા આ શું પૂછી રહી છે!પરંતુ, એણે જવાબ આપ્યો, ‘નોકરાણી…’ માએ બંને હાથ દીકરીના બંને ગાલ પરહાથ મૂકી […]
દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પોતાની દીકરીનું નામ ‘દુઆ’ પાડ્યું. દીપિકાએ કહ્યુંકે, ‘આ અમારી પ્રાર્થનાનું ફળ છે.’ એકમેક સાથે સુખી અને આનંદિત દેખાતું આ યુગલ જીવનમાંઅનેક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યું છે. દીપિકા પદુકોણે પોતાના ઈન્ટરવ્યૂમાં પોતાનાડિપ્રેશન અને સમસ્યાનો સ્વીકાર કર્યો ત્યારે એણે કહ્યું હતું કે, ‘દુનિયાના અનેક લોકો જાણે-અજાણે માનસિક તકલીફોમાંથી પસાર થાય છે છતાં […]
અત્યાર સુધી જેમને ‘વિકલાંગ’ કહેવાતા હતા એમને પ્રધાનમંત્રીએ નવું નામઆપ્યું, ‘દિવ્યાંગ.’ આમ જોવા જઈએ તો આ બાળકો સાચે જ દિવ્યાંગ છે. એમકહેવામાં આવે છે કે, માનવ શરીર તરીકે જેનો અંતિમ જન્મ હોય, એને ફરી જન્મ નમળવા માટે અને એની ચોર્યાસી લાખ યોનિની યાત્રા જ્યારે પૂરી થવાની હોય ત્યારેએના આગલા-પાછલા તમામ કર્મોનો હિસાબ ઝીરો-ઝીરો કરવા માટે […]
મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, એમનું સંતાન એ એમની ઘડપણની લાકડી છે,એમના ભવિષ્યનો આધાર, સમાજમાં એમની પ્રતિષ્ઠા અને લોકોની સામે પ્રદર્શન કરવાની કોઈટેલેન્ટ અથવા કોઈ એવી બાબત છે, જેમાં નિર્બંધ સ્નેહ સિવાય બાકીનું બધું જ છે! માતા-પિતાઅને સંતાન વચ્ચેનો સૌથી પહેલો સંબંધ ફક્ત ‘સ્નેહ’નો હોવો જોઈએ. વધુ માર્ક લાવતું, હોંશિયાર,ટેલેન્ટેડ કે ચતુર બાળક, થોડું […]
છેલ્લા કેટલાય સમયથી વરસાદે માઝા મૂકી હતી. આખા દેશમાં પૂરનો પ્રકોપ ફરી વળ્યો. બિહારથીવડોદરા સુધી બધે જ ખૂબ બધું પાણી વરસ્યું, પરંતુ ઉનાળો આવશે ત્યાં સુધી ફરી એકવાર પીવાના પાણીનીસમસ્યા ઊભી થશે. જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી,ક્યારેક ફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ […]
અમદાવાદ અને વડોદરા વચ્ચેના પંચોતેર માઈલની બરાબર અધવચ્ચે આબંને શહેરોને જોડતી નકશારેખા પર નડિયાદ શહેર વસેલું છે. આડીઅવળીગલીકૂંચીઓ અને પચ્ચીસ હજારની વસતી ધરાવતા આ શહેરમાં વલ્લભભાઈપટેલનો જન્મ થયો હતો, પણ તેની નક્કી તારીખ આપણે જાણતા નથી. સન1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે તેમણે પોતે પાછળથી કબૂલ કરેલું છે તેમ,‘મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ […]











