Category Archives: Mumbai Samachar

ભાગઃ 4 | શોભના સાથેનાં લગ્ન મારામાં રહેલી પત્ની અને રાજરાણી બંને માટે અપમાન હતુંભાગઃ 4 |

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ જે દીકરી જેવી હતી, જેને હું લાડ કરતી, વહાલ કરતી એ મોંઘી મારે માટે ઝેર જેવી થઈગઈ. સુરસિંહજીએ એને ભણાવી-ગણાવી, અંગ્રેજી બોલતી કરી દીધી. ધીરે ધીરે એવી પરિસ્થિતિઆવી કે એ વગર રોકટોકે દરબારગઢમાં અવરજવર કરતી થઈ ગઈ. ઠાકોર સાહેબ એને પોતાનીકવિતા વાંચવા માટે મિત્રોની હાજરીમાં બોલાવવા […]

ભાગઃ 3 | એ રાજા હતા, પણ મનથી કોઈ વૈરાગી-સંત જેવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ એક રાજરાણીનો ગર્વ શું હોય છે, એની એક સામાન્ય સ્ત્રીને સમજણ ન પડે… સ્વાભાવિકછે! હું રોહાની રાજકુમારી. મારા લગ્ન માટે યોગ્ય મૂરતિયો મળતો નહોતો. એ એવો સમય હતોજ્યારે કન્યા કે વરની ઉંમર ન જોવાતી, પરંતુ પારિવારિક સરખાઈ વધુ મહત્વની હતી. રોહાથી લાઠીહું લગ્ન કરીને આવી ત્યારે […]

ભાગઃ 2 | મોંઘી પ્રત્યેનો વાત્સલ્યભાવ ક્યારે ઈશ્કમાં પલટાયો એનો મને ખ્યાલ પણ ન રહ્યો

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજા. અત્યારના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રનો એકભાગ એ સમયે કાઠિયાવાડ કહેવાતો. અંગ્રેજોનું શાસન સ્થપાયા પછી નાનામોટા 600 જેટલારાજ્યોને એમણે સ્વતંત્ર કરી દીધા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજોનો પંજો સખત થવામાંડ્યો. કાઠિયાવાડના રાજ્યો ખૂબ નાના હતા. એ સમયે લાઠી કાઠિયાવાડના હાલાર પ્રાંતનું ચોથાવર્ગનું રાજ્ય […]

ભાગઃ 1 | હું એમનાથી આઠ વર્ષ મોટી હતી, મને બરાબર આવડત હતી કે એમને ‘મારા’ કેમ બનાવવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ એમને ગયે આજે દસ વર્ષ થયાં. ફરીને જોઉ છું તો જાણે ગઈકાલની વાત હોય એવું લાગે છે.એમના રાજકુમાર એમના લખવાના ઓરડામાં અમે આજે પણ કશું બદલ્યું નથી. એમનું મેજ,ખુરશી, પુસ્તકો રાખવાના કબાટો, આરામ કરવાનું સુખાસન… અરે, એમનો ભાંગ પીવાનો એટમ્બ્લર અને વ્હિસ્કી પીવાના ગ્લાસ પણ મેં […]

ભાગઃ 2 | 59 વર્ષની ઉંમર, આ દુનિયા છોડવાની ઉંમર તો નથી જ

નામઃ રીમા લાગૂસ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017ઉંમરઃ 59 વર્ષ ઈતિહાસ ફરી ફરીને પોતાના પ્રસંગોને દોહરાવે છે, એવું મને હંમેશાં લાગ્યું છે. મારી આઈનાની હતી ત્યારે એને પણ અભિનયનો ખૂબ શોખ હતો, પણ એનો સમય જુદો હતો. મરાઠીરંગભૂમિ ઉપર કલાકારોને માન-સન્માન અને આદર તો ખૂબ મળતા, પરંતુ એ વખતે એવા […]

ભાગઃ 1 | અભિનય માટે આઈ એ બાબાને છોડ્યા, મારે વિવેકને અભિનય માટે છોડવો પડ્યો

નામઃ રીમા લાગૂસ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017ઉંમરઃ 59 વર્ષ હોસ્પિટલના પલંગ પર સૂતા સૂતા મને જાણે મારી આખી જિંદગી ફિલ્મની જેમ દેખાય છે.આજ સુધી કોઈ દિવસ છાતીમાં દુઃખાવાની ફરિયાદ હતી જ નહીં… મારી જીવનશૈલી પણ એવીહતી કે, હું ખાસ બિમાર નથી પડી. હા, મને ખાવાનો શોખ ખૂબ અને સ્વાદિષ્ટ […]

ભાગઃ 3 | ડૉ. બાલી સાથેના લગ્ન કોઈનું ઘર તોડવાના ઈરાદાથી નહોતા કર્યાં

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ મેં જ્યારે આત્મકથા ‘બોન્ડિંગ… એ મેમોએર’ લખવાનો વિચાર કર્યો ત્યારે મારી સહલેખિકા જ્યોતિસબરવાલે મને પૂછ્યું હતું, ‘સંગમ’ પછી તમે રાજ કપૂર સાથે બીજી કોઈ ફિલ્મ કેમ કરી નહીં?’ એનો જવાબ આમ તો મારે બદલે રાજ કપૂર જ વધુ સારી રીતે આપી શકે, પરંતુ સત્ય એ હતું કે,અમારા અફેરની […]

ભાગઃ 2 | ‘સંગમ’ની સફળતા માટે અમારા અફેરની અફવા ઉડાડવામાં આવી હતી

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ 1955માં જ્યારે ‘દેવદાસ’ની જાહેરાત થઈ ત્યારે ચંદ્રમુખીના રોલ માટે સૌથી પહેલાનરગીસનો વિચાર કરવામાં આવ્યો, પરંતુ નરગીસજીએ એ રોલ માટે ના પાડી, કારણ કે એમને ‘પારો’કરવું હતું. પારો માટે સુચિત્રા સેનનું કાસ્ટિંગ થઈ ગયું હતું અને બિમલ રોય એ બદલવા માગતાનહોતા. એ પછી મીનાકુમારીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કમાલ […]

ભાગઃ 1 | કૃષ્ણા કપૂર એમના સંતાનોને લઈને નટરાજ હોટેલમાં ચાલી ગયેલા…

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ જિંદગીના 75 વર્ષ પૂરાં થવાની તૈયારીમાં છે ત્યારે બોલિવુડમાં એક વિવાદ ઊભો થયો છે. હુંહવે બોલિવુડનો હિસ્સો છું જ નહીં. મુંબઈ છોડ્યાને 35 વર્ષથી વધુ થઈ ગયા, એથી વધુ વર્ષ મારાલગ્નને થયા. મારે હવે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી તેમ છતાં, સમયસમયાંતરેકોઈ પ્રોડ્યુસર આવી ચડે છે. […]

ભાગઃ 5 | વિદ્રોહની કિંમતઃ કર્મનું ફળ કે વેરની વસૂલાત?

નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારેઆત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે, મારા કોઈપણ સાથીને આઠવર્ષથી વધારે જેલમાં રાખવામાં નહીં આવે, પરંતુ અમને સૌને અગિયાર વર્ષ સુધી મુકદમો ચલાવ્યા […]