હિંસા, અહિંસા અને પ્રતિહિંસા…

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના, મૃત્યુના સમાચારો આપણે સતત સાંભળી રહ્યા છીએ. જેમ ભગવાન બુદ્ધે ગૌતમીને કહ્યું હતું એમ, અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય ! છેલ્લા થોડા મહિના આપણા સહુ માટે મુશ્કેલ, પીડાદાયક અને અનિશ્ચિતતામાં વિત્યા છે. તહેવારો પણ જાણે કે દબાયેલા પગે આવ્યા, અને ચૂપચાપ નીકળી ગયા […]

નમ્રતાઃ સાચી અને ખોટી

એક ફકીર રસ્તો પરથી પસાર થઈ રહ્યો હતો. એણે એક મોટો આશ્રમ જોયો. જમવાનો સમય થયો હતો, એટલે આશ્રમમાં જમવા માટે દાખલ થયો. આશ્રમના સંચાલક અથવા મહંત જમવા બેઠેલા દરેક માણસ પાસે આવીને પ્રણામ કરતા, ભોજન પીરસતા અને કહેતા, “હું તમારા ચરણની ધૂળ છું.” બાકીના લોકો ઉભા થઈ જતા, મહંતને પગે લાગતા, સામે નમ્ર થઈને […]

રૂકે ન તૂ, ઝૂકે ન તૂ… ધનુષ ઉઠા, પ્રહાર કર

સ્વતંત્રતા… બહુ લોભામણો અને ગૂંચવનારો શબ્દ છે. દરેક વ્યક્તિની આ શબ્દની સમજ અને અભિવ્યક્તિ અલગ હોય છે. છેલ્લા દોઢ દાયકામાં આપણે સ્વતંત્રતાને તોડી-મરોડીને અંગત સગવડ, ઉપયોગમાં લેવાની વસ્તુ બનાવી દીધી છે. આમ જોવા જઈએ તો બાળક જન્મથી જ સ્વતંત્ર હોય છે. એ પોતાની આગવી ફિંગરપ્રિન્ટ્સ અને આગવો ચહેરો લઈને જન્મે છે. કદાચ માતા-પિતાની કે પરિવારની […]

અબ દુનિયા મેં કિસી સે નફરત મત કરના…

ગુરુને બાત સુનાયા, બે !  મુજકું ફકીર બનાયા, બે ! ઈ.સ. ૧૪૪૦ની આસપાસ એક વણકરને ત્યાં એક દીકરો જન્મ્યો. જેના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે… એ વણકરની પત્નીને મળ્યો, કોઈ બ્રાહ્મણીનો દીકરો હતો કે પછી વણકરનો જ દીકરો હતો… જન્મ વિશેની અટકળો અને લોકવાયકાઓ અનેક હોઈ શકે, પણ જીવન વિશેનું સત્ય એટલે કર્મ ! આ […]

ભાષા અને ભવનઃ પ્રાથમિક શિક્ષણ અને રામમંદિર

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર […]

પુત, સપૂત તો ક્યોં ધનસંચય? પુત, કપૂત તો ક્યોં ધનસંચય ?

લગભગ પોતાની જ ઉંમરની ‘મા’ પોતાની સાથે ઘરમાં રહેતી હોય, પિતાની ગેરહાજરી હોય અને એ પિતાથી જન્મેલા પોતાના સાવકા ભાઇઓને ઉછેરવાનું કામ જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય, ત્યારે એને શું કહેવાય ? ભીષ્મ ! પિતા શાન્તનુના મનમાં જન્મેલી મત્સ્યગંધા – સત્યવતી માટેની ઝંખનાને પૂર્ણ કરવા દીકરો લગ્ન નહીં કરવાનું નક્કી કરે છે. ગંગાપુત્ર […]

મેરા ગાંવ, મેરા દેશઃ સિરિયસલી?

‘હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. મારે આગળ નથી વધવું… મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારા પરિવારને હાનિ પહોંચે.’ 23 વર્ષનો એક છોકરો રડતો રડતો હાથ જોડીને પોતાના પરિવારને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. આ છોકરાના પરિવારને એના ગામના સરપંચે પોતાના ઘરમાં પૂરી દીધો હતો, એ જૂના મકાનને સળગાવી દઈને આખા પરિવારને […]

સંપત્તિ કે સંબંધ : પસંદગી તો આપણી જ…

એક વાચકનો ઈ-મેઈલ છે, “રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના સંબંધ વિશે કંઈ બોલો અથવા લખો…” એમનો ઈ-મેઈલ તો ખૂબ લાંબો છે. જેમાં એમણે પોતાની બહેન સાથે થયેલા પ્રોપર્ટીના ઝઘડા વિશે વિગતો લખી છે. પિતા ગુજરી ગયા ત્યારે બહેનની ઉંમર અગિયાર વર્ષની હતી. ઓગણીસ વર્ષના ભાઈએ શિક્ષણની સાથે નોકરી કરીને બહેનને મોટી કરી, ભણાવી અને પરણાવી. કરમસદના ઘર […]

ન મળે એને નષ્ટ કરવું?

“તને મેં પીડી છે, અવશ બની ઉત્ક્રાન્ત તનથી, તને મેં ચાહી છે વિવશ બની ઉદભ્રાન્ત મનથી, પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો…” વિનોદ જોશીનું દીર્ઘ કાવ્ય ‘શિખંડી’ની આ પંક્તિઓ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈને લખાઈ છે. એમણે એમના પ્રાકકથનમાં લખ્યું છે, “પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ […]

બડે બડાઈ નહિ તજૈ લઘુ રહીમ ઇતરાઈ…

“મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે. હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલે ઓથોરિટિઝને જણાવ્યું છે. પરિવાર અને સ્ટાફની વ્યક્તિઓનો પણ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટની રાહ જોવાય છે. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે એ સહુને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.” (ટ્વિટ નં. 3,590) અમિતાભ બચ્ચનની આ ટ્વિટે આખા દેશને એક એવો સંદેશો આપ્યો જે […]