Category Archives: janmabhoomi phulchhab

‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન ઈન્ટરનેટ’: અંતે માનો વિશ્વાસ જીતે છે

2015ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના એક છોકરાને 30 મહિનાની જેલ થઈ.એની સાથે એના સાથીદારને 25 મહિનાની જેલ થઈ… એફબીઆઈએ એના કેસ પર બે વર્ષ સુધીકામ કર્યું. નાની નાની સાબિતીઓ ભેગી કરી. 40 જેટલી સ્ત્રીઓએ આગળ આવીને એના વિરુધ્ધફરિયાદ કરી, પણ કોર્ટમાં ટેસ્ટિમોનિયલ આપવા ફક્ત એક જ છોકરી પહોંચી, કેઈલા લૉસ. આ કેસસાયબર ક્રાઈમનો એક અનોખો કેસ […]

વારસામાં સંપત્તિ નહીં, સંસ્કૃતિ અને સંસ્કાર આપીએ

ઉત્તર પ્રદેશમાં કોલેજમાં ભણતા થોડા વિદ્યાર્થીઓએ એક વિધર્મી વિદ્યાર્થીને પકડીનેએની પાસે હિન્દુ ઈશ્વરનું નામ બોલાવવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, અને અંતે એવિદ્યાર્થીને મારી મારીને એનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એની સામે ફક્ત ગુજરાતમાં જ નહીં,દેશભરમાં અન્ય ધર્મના યુવકો હિન્દુ છોકરીઓને પ્રેમમાં પાડી એની સાથે લગ્ન કરીને ‘લવ જિહાદ’નાનામે પોતાના ધર્મને પ્રસારીત કરવાની કોઈ વિચિત્ર […]

ભોળાભાઈ પટેલઃ ગદ્ય લેખનની કવિતા

…આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તેદિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે… સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ,ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ. કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય […]

સંયમ એટલે ભીતરનું બેલેન્સ

કોવિડ પછી એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરમાં માનસિક રોગીઓની સંખ્યામાંવધારો થયો છે. એન્ઝાઈટી, ડિપ્રેશનની સાથે સાથે ફ્ર્સ્ટ્રેશન અને ઘરેલું હિંસાના કેસ પણ વધવાલાગ્યા છે. હજી હમણા જ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડેના દિવસે બહાર પડેલા આંકડામાંથી જે માહિતીમળી એમાં ગુસ્સામાં પતિ-પત્નીએ એકબીજાના નાક-કાન કાપી લીધા હોય એવા કિસ્સાની સંખ્યાઆઘાતજનક છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પોતાના […]

સ્ટાર યા કલાકારઃ સામાજિક નિસ્બતની જવાબદારી કોની?

21મી એપ્રિલે અભિનેતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેન્ઝ અને હિતેચ્છુઓનીમાફી માગી. એમણે લખ્યું કે, ‘આજ પહેલાં મેં કોઈ દિવસ તમાકુ કે શરાબનો પ્રચાર કર્યો નથી. આજપછી પણ નહીં કરું, પરંતુ વિમલ ઈલાયચીની જાહેરખબર જોઈને આપ સૌની પ્રતિક્રિયાએ મનેજાગૃત કર્યો છે. કાયદેસરનો કોન્ટ્રાક્ટ હોવાને કારણે જાહેરાત એના નિશ્ચિત સમય સુધી ચાલશે, પરંતુએ પછી હું ક્યારેય […]

અખો, કબીર અને નરસિંહઃ સમય જુદા, વાત એક

એ અનંતને બોલ્યો ન જાય જી,મહતા ન આવે વાણીમાંય જી,વચન ન લાગે તો કયમ કહેવાય જી,મહાચૈતન્યધન નહીં મન કાય જી.સદા નિરંતર છે જ સરખા, વસ્તુવિચારે એ અશો. અખાનું આ કડવું અખેગીતામાંથી લેવામાં આવ્યું છે. અખેગીતામાં 40 કડવાં અને10 પદો છે. આ કડવાંમાં એમણે લખ્યું છે કે, જે જન્મ લેતો નથી અને જે નાશ પામતું નથી […]

જૂનું એટલું સોનું… તો “નવું” એટલું પ્લેટિનમ?

હો શામ ભી તો ક્યા? જબ હોગા અંધેરા, તબ પાયેગા દર મેરાઉસ દર પે ફિર હોગી તેરી સુબહ, તુ ન જાને આસપાસ હૈ ખુદા… ‘અંજાના અંજાની’ નામની એક લવ સ્ટોરીનું આ ગીત વિશાલ દદલાની અને શેખરરાવજીયાની નામના બે કવિઓએ લખ્યું છે. આપણે સામાન્ય રીતે નવા ગીતોની કવિતા ઉપર ઝાઝુંધ્યાન આપતા નથી. મોટાભાગના 50-55ના માતા-પિતા પોતાના […]

સ્વામી વિવેકાનંદઃ અઢીસો વર્ષ પહેલાં કહેલા શબ્દો આજે વધુ સત્ય છે

આવતીકાલે, 4થી જુલાઈએ સ્વામી વિવેકાનંદની નિર્વાણ તિથિ છે. આ દેશને સ્વામીવિવેકાનંદ જેવા યુવા નેતાની આજે તાતી જરૂર છે. આ દેશના યુવાનો પોતાની સંસ્કૃતિ ભૂલીનેપશ્ચિમના રંગે રંગાઈ રહ્યા છે. વસ્ત્રો, ભોજન, શરાબ, સિગરેટ, ડ્રગ્સ બધું જ પશ્ચિમથી આપણીતરફ આવી ગયું છે તો બીજી તરફ, યુરોપના દેશો અને અમેરિકામાં વેદ, ગીતા અનેવેજીટેરિયનઝિમનો પ્રચાર વધી રહ્યો છે. ભારતમાંથી […]

જયભિખ્ખુઃ એક સાહિત્યકાર અને વિશ્વમાનવ

‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વીપુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?’ મૃત્યુ પૂર્વે પોતાની રોજનીશીમાં જેણે આ વાત લખી એબાલાભાઈ (ભીખાલાલ) વીરચંદભાઈ દેસાઈ. ગુજરાતી સાહિત્ય એમને ‘જયભિખ્ખુ’ નામે ઓળખેછે. એમનું મૂળ નામ ભૂલાઈ ગયું અને કલમનું નામ આજે પણ જીવિત છે. લગભગ ચાર દાયકા સુધીએ સતત લખતા […]

મંદી, મોંઘવારી, યુધ્ધ અને ચૂંટણી…

આજકાલ રશિયા બહુ ચર્ચામાં છે. હજી યુક્રેન પરના હુમલા અટક્યા નથી. યુએનનીદરમિયાનગીરી છતાં એકસરખા આતંક અને મૃત્યુના ઓળા યુક્રેન પર ઝળુંબે છે ત્યારે થોડી પાછળનજર કરવા જેવી છે. રશિયન સરકાર અથવા સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓને યાદ કરીએ તોએમાં સૌથી પહેલું નામ બોરિસ નિકોલાયવિચ યલ્તસીનનું લેવું પડે. સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટપાર્ટીના સભ્ય હોવા છતાં 1991માં એમણે રશિયામાં […]