Author Archives: kaajal Oza Vaidya

સમય ક્યારેય ખોટો કે સાચો નથી હોતો, નિર્ણય હોય છે

આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એસમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતોજ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તોએવી જગ્યાએ પહોંચ્યા જ છીએ […]

ભાગઃ 5 | વિદ્રોહની કિંમતઃ કર્મનું ફળ કે વેરની વસૂલાત?

નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારેઆત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે, મારા કોઈપણ સાથીને આઠવર્ષથી વધારે જેલમાં રાખવામાં નહીં આવે, પરંતુ અમને સૌને અગિયાર વર્ષ સુધી મુકદમો ચલાવ્યા […]

ગુસ્સો, ક્રોધ, એન્ગરઃ લાલચોળ પડછાયો ફેલાય છે

એક સવારે, એક ઘરમાં પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય છે-પતિ ગુસ્સામાં બહાર નીકળે છેઅને પત્ની ઘરનું કામ કરી રહી છે. આ બંનેનો ગુસ્સો એકબીજા પર તો નીકળ્યો નહીં, એટલે પતિએબહાર નીકળીને ડ્રાઈવરને ખખડાવી નાખ્યો. ઓફિસ જઈને પ્યૂન ઉપર બૂમો પાડી અને બાકી હતું તેપોતાના કર્મચારીને અપમાનિત કર્યા. પત્નીએ પહેલાં ડોમેસ્ટિક હેલ્પ માટે આવતા બહેન, પછીમાળી અને […]

પ્રકરણ – 26 | આઈનામાં જનમટીપ

સાંજે સાડા ચાર વાગ્યાથી જ લાઈફ કેર હોસ્પિટલના પ્રાંગણમાં ટીવીની ઓબી વેન પાર્ક થઈ ચૂકી હતી. અખબારોના પત્રકારો, ટીવીના રિપોર્ટર્સ અને જિજ્ઞાસુઓની ભીડ જમા થવા લાગી હતી. મંગલસિંઘ યાદવનો જે વીડિયો સૌથી પહેલાં ‘વી ફોર યૂ’ ચેનલ પર દેખાયો એ હવે ભયાનક વાયરલ થઈ ચૂક્યો હતો. પાનના ગલ્લા, રેસ્ટોરાં, ઓફિસો, ઘર, કોલેજીસમાં જે રીતે આ […]

હરિલાલ હોત તો કદાચ કહેત, ‘હેપ્પી બર્થ ડે બાપુ’

ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્યસેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથેબાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણમાતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છેજે કસ્તુરબાના હૃદયને આપણી […]

પ્રકરણ – 25 | આઈનામાં જનમટીપ

અવિનાશકુમારે હાથમાં રિમોટ પકડીને જોરથી બૂમ પાડી, ‘બાસ્ટર્ડ.’ પછી એની બાજુમાં ઊભેલા એનાઆસિસ્ટન્ટને કહ્યું, ‘પૂછો રિપોર્ટરને, ક્યાંથી આવ્યો છે આ?’‘જી, સર.’ કહીને આસિસ્ટન્ટ બહાર ગયો.ત્યાં જ અવિનાશકુમારના ફોન પર સુધાકર સરિને મોકલેલો વીડિયો ફ્લેશ થયો. અવિનાશકુમારે ફોન લગાડીનેસુધાકર સરિનને પૂછ્યું, ‘કોણે મોકલ્યો છે આ વીડિયો? કયા નંબર પરથી આવ્યો?’‘ડૉ. શ્યામાએ મોકલ્યો છે સર, એમના જ […]

વ્યસનમુક્તિનો દંભઃ અલાર્મ વાગી ચૂક્યો છે

આવતીકાલે બીજી ઓક્ટોબર, ગાંધીજીનો 154મો જન્મદિવસ. સ્કૂલમાં રજા હોય અનેપ્રોહિબિશન ન હોય એવા શહેરોમાં ‘ડ્રાય ડે’ હોય. વ્યસનમુક્તિ અને સ્વદેશી માટે ગાંધીજીએ ખૂબપ્રચાર અને પ્રસાર કર્યો. આજે, 154 વર્ષે તો એ જીવતા ન જ હોત, પરંતુ જે રીતે દેશમાં વ્યસનફેલાઈ રહ્યું છે એ જોતાં સમજાય છે કે, આ દેશને આવા જ એક બીજા ગાંધીની જરૂર […]

ભાગઃ 4 | બેહમઈ હત્યાકાંડઃ આત્મસમર્પણની એ ક્ષણ

નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજાબધા ડકૈતોએ અમને સરદાર માની લીધા હતા અને અમારા આયોજનનું પાલન પણ કરતા હતા. વિક્રમ અનેહું જાણતા નહોતા કે, અમારા ગિરોહમાં બે-ત્રણ જણાં હતા જેમને નીચલી જાતિના […]

બદનામી મંજૂર હૈ, બદમાશી નહીં…

સોશિયલ મીડિયાએ આપણને સહુને ‘પ્રસિધ્ધ’ થવાનું એક વિચિત્ર વ્યસન લગાડ્યું છે.લગભગ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બનતી રોજિંદી ઘટનાથી શરૂ કરીને, પોતાની ફિલોસોફી,સમજણ, નુસ્ખા કે આવડતને ઘણા બધા લોકો સુધી પહોંચાડવાનો એક શોખ જાગ્યો છે. એમાંફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટા સાધન નહીં, પણ હથિયાર બની ગયા છે. સારી વાત તો લખાય જછે, પરંતુ એની સામે કોઈપણ વ્યક્તિને […]

હારના મના હૈ…

દેવ આનંદ અને ગુરૂ દત્ત બંને એક જ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એક જ લોકલ ટ્રેનમાં પ્રવાસકરતાં કરતાં દોસ્તી થઈ, બંનેને ખબર પડી કે બંનેનો રસ ફિલ્મ લાઈનમાં છે. બંને મિત્રોએ એકબીજાનેવચન આપ્યું કે, બેમાંથી જે વહેલો સફળ થશે એ બીજા મિત્રને આગળ લાવવામાં મદદ કરશે. ગુરૂ દત્તકરતાં દેવ આનંદ વહેલા સફળ થયા. એમની […]