આપણે સૌ ‘ભારતીય’ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારેપાંગરી એમ ઈતિહાસ કહે છે. સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂર્વ વૈદિક કાળ(ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) ‘વિદ્’નોઅર્થ થાય છે જાણવું, ‘વેદ’ જ્ઞાન છે. લેખન તો, હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું. મૂળ […]
Author Archives: kaajal Oza Vaidya
કોન્ટ્રોવર્સી-સનસનાટી, જેમની પ્રકૃતિ છે, બેફામ સ્ટેટમેન્ટ કરી દેવા એ જેમનો સ્વભાવ છે, ધર્મનિરપેક્ષતાનો દાવો કરીને જે જાણે-અજાણે સનાતન ધર્મ-ભારતીયતા અને હિન્દુત્વનો વિરોધ કરે છે, છતાંફિલ્મમેકર કે દિગ્દર્શક તરીકે જેમનું નામ આદરથી લેવું પડે એવા મહેશ ભટ્ટ આજે 73 વર્ષ પૂરા કરે છે.દીકરી આલિયા ભટ્ટના લગ્ન કપૂર ખાનદાનમાં થઈ ચૂક્યા છે, એ મા બનવાની છે અને […]
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.ઝળાઝળાંનો મોહતાજ નથી,મને મારું અજવાળું પૂરતું છે,અંધારાનાં વમળને કાપે,કમળ-તેજ તો સ્ફુરતું છે.ધુમ્મસમાં મને રસ નથી,હું ખુલ્લો અને નિખાલસ છું.પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.કુંડળીને વળગવું ગમે નહીં.ને ગ્રહો કને શિર નમે નહીં.કાયરોની શતરંજ પર જીવસોગઠાબાજી રમે નહીં.હું […]
એક કોલેજના કેમ્પસમાં મોટરસાઈકલ પર બેઠેલા એક છોકરા પાસે જઈને થોડા યુવાનો એનેઘેરી લે છે, ‘શેનો પાવર છે તને?’ કહીને કોઈ કારણ વગર મારામારી કરે છે… એના થોડા દિવસપહેલાં, સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક જ છોકરીને ચાહતા બે છોકરાઓની મૂઠભેડ થઈ જાય છે.એક છોકરાને એટલો માર પડે છે કે એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. […]
આજના સમયમાં દરેક ઘરમાં મતમતાંતર અને જનરેશન ગેપ જોવા મળે છે. 1995 પછીજન્મેલી પેઢી, 2000ની અને એ પછીની પેઢી-એની સામે 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા,એમના પણ માતા-પિતા… જુદી જુદી માનસિકતાઓ અને આગવા સંઘર્ષમાંથી સૌ પસાર થાય છે. નવીપેઢીની ચેલેન્જિસ કદાચ જૂની પેઢીને સમજાતી નથી, તો જૂની પેઢીની મહેનત અને એમણે કાળી મજૂરીકરીને પોતાના પછીની પેઢીને આપેલી […]
આપણે અનેકવાર આપણા ઉપનિષદોમાં ‘શુકદેવજી’ નું નામ સાંભળ્યું છે. પરીક્ષિતનેભાગવતની કથા શુકદેવજી સંભળાવે છે… પરંતુ, આ શુકદેવજી છે કોણ? એ જાણવા માટે આપણેસતયુગ સુધી જવું પડે. એક કથામાં કહ્યું છે કે, કૈલાસ ઉપર શિવજી અને પાર્વતીજી વાતો કરતા હતા.દરમિયાનમાં પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ લીધી. અમરકથા સાંભળે તે ક્યારેય મૃત્યુ નપામે એવું વરદાન છે તેથી શિવજીએ […]
‘મારે તમારી સાથે કામ નથી કરવું’ એક ટેલેન્ટેડ વ્યક્તિ બીજી ટેલેન્ટેડ વ્યક્તિને કહે છે… ‘મનેકામ ખોવાનું પોષાશે, પરંતુ મિત્ર ખોવો નહીં પોષાય.’ આમ જોવો તો આ વાક્યમાં ઈગો-અહંકારસંભળાય, પરંતુ જો સરવા કાને ધ્યાનથી સાંભળીએ તો આ વાક્ય એક મેચ્યોર, સમજદાર વ્યક્તિનુંહોવાની ખાતરી થાય. મોટેભાગે વ્યવસાયિક મતભેદ બે પ્રતિભાશાળી, બુધ્ધિશાળી લોકો વચ્ચે થાય એ સહજ અનેસ્વાભાવિક […]
જેની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હોત, એવા એક ઓલટાઈમ સ્ટારનીસ્મશાન યાત્રા 20 લોકો સાથે સંપન્ન થઈ ગઈ! કોરોનાના કપરાકાળ દરમિયાન 30 એપ્રિલ,2020ના દિવસે રિશી કપૂરનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવાર સિવાય કોઈનેય સ્મશાન યાત્રામાંસામેલ થવાની પરવાનગી મળી નહીં! પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માટે એ જીવ્યાનહીં, એવી જ રીતે એમની ફિલ્મ ‘શર્માજી નમકીન’ […]
કોન્સ્ટેબલ કુલદિપસિંહ યાદવ, રિધ્ધિ અને આકાંક્ષાની આત્મહત્યા હજી હવામાં પડઘાય છે.આ પહેલાં પણ એક હોમગાર્ડે પોતાના જ ઘરમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.ઓડિશાના કટકમાં સ્પેશિયલ પોક્સો જજનું શબ પણ એમના ઘરમાં લટકતું મળ્યું. સુભાષકુમારબિહારી બે દિવસથી રજા પર હતા. એમની પત્ની અને બે દીકરીઓ બહાર ગઈ ત્યારે એમણે પંખાપર લટકીને આત્મહત્યા કરી, એમ માનવામાં આવે […]
‘આપણા શરીરનું સૌથી સેક્સી, સંવેદનશીલ અંગ કયું છે?’ આવો સવાલ કોઈ પૂછે તો એનાજવાબમાં સામાન્ય રીતે આપણે બધા શરમાઈએ, ગૂંચવાઈએ, પરંતુ એનો જવાબ બહુ સરળ છે-ત્વચા!સૌથી સંવેદનશીલ ત્વચા છે. જેની ઉપર સ્પર્શની અનુભૂતિથી શરીરના અંગેઅંગ જાગી ઊઠે છે. રજનીશકહે છે કે, ‘સંભોગની લાગણી બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે હોય છે-મગજમાં અને સાચું પૂછો […]