Category Archives: Vama

શ્રીકૃષ્ણ-રુક્મિણી વિવાહઃ બે હૃદય અને સંસ્કૃતિનો સુભગ સમન્વય

આપણે ઉત્સવપ્રિય છીએ. ભારતીય જનસમાજ ઉત્સવ ઊજવવાનું કારણ શોધી કાઢે છે.આપણે જન્મની સાથે સાથે મૃત્યુને પણ (અગિયારમું, બારમું, તેરમું) ઊજવીને આપણા સનાતનધર્મની તત્વજ્ઞાનની અને જીવનની સાથે સાથે મૃત્યુના સ્વીકારની અદભુત પરંપરાને માણીને ઉછર્યાછીએ. જન્મ, યજ્ઞોપવિત, લગ્ન કે સિમંત, જેવા અનેક પારિવારિક ઉત્સવોની સાથે સાથેતારીખિયામાં આવતા ઉત્સવો પણ આપણે માટે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા […]

હર એક બાત પે કહેતે હો તુમ, કી… તુ ક્યા હૈ?, તુમ્હી કહો કી યે અંદાઝે ગૂફ્તગુ ક્યા હૈ!

‘એક સેલ્ફી લઈએ?’ એક ભાવક, વાચક કે શ્રોતા અત્યંત સ્નેહથી પૂછે છે. બને ત્યાં સુધી ‘ના’પાડવાનું મારા સ્વભાવમાં નથી, પરંતુ શ્રીનાથજીના મંદિરની નિશ્રામાં કે એ ભૂમિ પર સેલ્ફી લેવી મનેયોગ્ય નથી લાગતી. ના પાડવાથી, ભાવકને અણગમો થાય છે! ક્યારેક એરપોર્ટ પર, થિયેટરનાવોશરૂમમાં કે (આશ્ચર્ય થાય, પરંતુ) કોઈના બેસણામાં પણ ક્યારેક સેલ્ફી લેવાની વાત આવે ત્યારેદુઃખ […]

નાયક અને ખલનાયકઃ ભેદરેખા ભૂંસાઈ ચૂકી છે

21 જૂન, 2019ના રોજ એક ફિલ્મ રિલીઝ થઈ, ‘કબીર સિંઘ’ … મૂળ તેલુગુ ફિલ્મ ‘અર્જુનરેડ્ડી’ની રિમેક એવી આ ફિલ્મમાં ‘હીરો’ની બોલિવુડની વ્યાખ્યાને તોડી-મરોડીને ફેંકી દેવામાં આવી.સતત ‘સાચો, સારો અને પ્રામાણિક, ગુડબોય’ રહેતો, ‘માનો લાડલો’ હીરો અહીં શરાબ પીએ છે.મારામારી કરે છે. ડ્રગ્સ લે છે અને એક ક્વોલિફાઈડ ડૉક્ટર હોવા છતાં પોતાની કારકિર્દીને રફેદફે કરીનાખે છે… […]

આ જગત એક રંગભૂમિ છે, આપણે સૌ કલાકારો…

આ આખુંય વિશ્વ કોઈ લેખકના ઈશારે ચાલતું નાટક હોય એમ આપણે બધાં એમાં આપણાભાગનો અભિનય કરીએ છીએ. સમય થાય ત્યારે સ્ટેજ પર આવીએ છીએ અને આપણા પાત્રનું કામપૂરું થતાં સ્ટેજ પરથી વિદાય લઈએ છીએ. આ મહાન નાટકનો રચયિતા આખી સૃષ્ટિનો સર્જનહારછે, એના પ્રેક્ષકો પણ આપણે જ છીએ અને કલાકારો પણ આપણે જ… 2019ના માર્ચ મહિનાથીપેન્ડેમિકનું […]

દુર્યોધનથી દારાઃ અહંકારનો અંધકાર, વેરનું વજન

સપ્ટેમ્બર, 1659… શાહજહાંનો દીકરો દારા શિકોહ કેદખાનામાં પોતાના દીકરા સાથેપોતાને માટે ભોજન બનાવી રહ્યો હતો. ઔરંગઝેબે મોકલેલો એક ગુલામ-નઝીર, એનું માથું કાપીનેલઈ જાય છે… ઔરંગઝેબ એ માથું ધોવડાવી, સાફ કરાવી અને થાળીમાં મૂકાવડાવે છે અને જ્યારેખાતરી થઈ જાય છે કે એ માથું એના સૌથી મોટા ભાઈ દારા શિકોહનું છે ત્યારે એ માથું પછાડીપછાડીને રડે છે, […]

જિસ કા જીતના હો આંચલ યહાં પર, ઉસ કો સૌગાત ઉતની મિલેગી

ભારતીય ધર્મશાસ્ત્રોમાં જ્યારે આશીર્વચન આપવામાં આવે છે ત્યારે કહેવાતો શ્લોક ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ।भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।स्थिरैरङ्गैस्तुष्टुवागँसस्तनूभिः ।व्यशेम देवहितं यदायूः ।स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।स्वस्ति नः पूषा विश्ववेदाः ।स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः ।स्वस्ति नो वृहस्पतिर्दधातु ॥ॐ शान्तिः शान्तिः शान्तिः ઓમ ! હે દેવો, અમે અમારા કાનથી શ્રેય સાંભળીએ, યજ્ઞમાં હોઈએ ત્યારે. આંખોથી સારુંજોઈએ અને સ્થિર પગલે સારી દિશામાં ચાલતા રહીએ. દેવો દ્વારા અમને મળેલી આ જિંદગીમાંથીઉત્તમ પામીએ અને દસે દિશામાંઓથી અમને સારા વિચારો આવી મળે. અમને ઈન્દ્રના આશીર્વાદમળે (વૈભવ અને ભોગ). […]

અભિપ્રાય, ઉશ્કેરાટ, અફવા અને અંતે શું?

3જી ઓક્ટોબરે ક્રુઝ પરથી અરેસ્ટ થયેલો આર્યન ખાન ડ્રગ્સના કિસ્સામાં 22 દિવસની જેલપછી વિવાદ અને અફવાઓના તોફાનને પસાર કરીને ‘પૂરાવાઓના અભાવે નિર્દોષ’ જાહેર કરાયો છે.આ પહેલા સલમાન ખાન પણ આવી જ રીતે નિર્દોષ છૂટી ગયા હતા. મીડિયાએ સેલિબ્રિટીનાજેટલા કેસ ચગાવ્યા એમાંથી ઘણા બધા કેસ-કિસ્સા સાવ સહજતાથી ‘પુરાવાના અભાવે’ પૂરા થઈગયા! શરૂઆતમાં લોકો જે ઉશ્કેરાટથી વિરોધ […]

મનમોહન દેસાઈઃ દિલ કો દેખો, ચહેરા ન દેખો…

પહેલી માર્ચ, 1994… ગીરગાંવની બિલ્ડીંગમાંથી પડી જવાને કારણે મનમોહન દેસાઈનુંમૃત્યુ થયું. પેરામાઉન્ટ સ્ટુડિયોઝના નિર્માતા કિકુભાઈ દેસાઈ અને કલાવતીબહેનનો દીકરો, સુભાષદેસાઈનો ભાઈ અને નીતિન મનમોહનના પિતા… પહેલી માર્ચની સાંજે એ પડી ગયા કે એમણે જાતેકૂદીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે. 26 ફેબ્રુઆરીએ એમનોજન્મદિવસ, અને પહેલી માર્ચ એમની મૃત્યુ તિથિ. 1994માં એ […]

બતાઉં ક્યા તુઝે એ હમ-નશીં કિસ સે મોહબ્બત હૈ, મૈં જિસ દુનિયામેં રહતા હૂં વો ઈસ દુનિયા કી ઔરત હૈ

અસરાર-ઉલ-હક મજાઝના આ શબ્દો એક સંબંધને બહુ ખૂબસુરત રીતે આપણી સામે ખોલી આપેછે. આપણે બધા પોતપોતાના વિશ્વનું એક વર્તુળ ધરાવીએ છીએ. આપણને ગમતાં, જેની સાથે આપણનેફાવતું હોય, વિચારો મળતાં હોય અને આપણા ગાંડપણ-ડહાપણનો હિસ્સો બની શકે એવા લોકોને આપણેમિત્રો અથવા સ્વજન કહીએ છીએ. આ સ્વજન અથવા મિત્રોથી બનતી આપણી એક આગવી દુનિયા હોયછે. આપણે જેને […]

પ્યાર કા નામ મૈંને સૂના થા મગર, પ્યાર ક્યા હૈ યે મુઝકો નહીં થી ખબર

‘જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં…’ શૈલી શૈલેન્દ્ર (ગીતકાર શૈલેન્દ્રના પુત્ર) એલખેલા ગીતને 1970માં બનેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રજૂ કરવામાં આવ્યું હતું. સંબંધોના ત્રણતબક્કામાંથી પસાર થયેલા એક ‘જોકર’ના જીવનને રજૂ કરતું આ ગીત એની શિક્ષિકા (સિમિગરેવાલ), એની પ્રેમિકા (પદ્મિની) અને રશિયન પ્રેમિકા (કેસનિયા રિયાબિન્કિયા)ની સાથે એમનાજીવનના પ્રવાસની કથા પણ એમણે વણી લીધી […]